________________
ત્રિશતાબ્દી વર્ષના અવસરે યશોવંદના
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું – એ રાગ.) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જિનવર શાસનના શણગાર, વૈર્ય ક્ષમા ને ગંભીરતાદિ અનેક ગુણ ગુણના ભંડાર; જ્ઞાનયોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન શાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૧ ધન્ય કનોડા ધન સોભાગદે ધન નારાયણ ધર્મશ્રા, ધન સુહગુરુ શ્રી નયવિજયજી ધન ધન એ ધનજી શૂરા; ધન સિંહસૂરિજી જેણે હિતશિક્ષાનાં દીધાં દાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ર ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, ભક્તામરની શ્રવણપ્રતિજ્ઞા કારણે ત્રણ ઉપવાસી માત; સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૩ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી; ગુરુવરચરણપસાયે સહેજે લાધ્યું આતમ અનુભવ જ્ઞાન, વંદન કરીએ ત્રિવિધ તમને દેજો અમને સાચું જ્ઞાન. ૪
३९
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org