SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ ज्ञानानुविद्ध निर्वर्त्यविकार्य प्राप्यपरिणाम भजई छई ते माटिं कर्म । उपयोगइं साधकतम थाइं छई ते माटिं करण छ । आपें ज शुभ परिणाम दानपात्र छई ते माटिं संप्रदान छई । पूर्व पूर्व ज्ञानपर्यायी उत्तरोत्तर ज्ञानपर्याय सारुं छई ते विश्लेषावधिपणा माटि अपादान છઠ્ઠું सामान्य (न्या) धारें विशेष परिणमई छई, जिम सामान्य (न्या ) धारडं कटककुंडलादि पर्याय ए रुप आधार छे । ज्ञानसार ए अभेद षट्कारक संगति वखाणी । नयपंडितई नयांतरिं पणि' वखाणवी । पर्याय गाथा सातमनो । ७ અર્થ : જે આત્મામાં (આત્માને વિષે) જ આત્માની છ કારકોની સંગતિ કરે છે એટલે કે છ કારકના અર્થનો સંબંધ (અનુગમ) કરે છે એને જડ એવા પુદ્ગલમાં મગ્ન થવાથી આવતું અવિવેકરૂપ તાવનું વિષમપણું ક્યાંથી હોય? (ન જ હોય.) અવિવેકી જ્વરવાળાને તો જલસ્તાનથી (જલમજ્જનથી) વિષમજ્વર હોય તે શ્લેષછાયા.(જડમજ્જન અને જલમજ્જન બંનેથી તાવ આવે તે શ્લેષ છે.) (૧) આત્મા સ્વતંત્રપણે જાણવાની ક્રિયા (જ્ઞપ્તિ ક્રિયા) કરે છે તે માટે આત્મા તો કર્તા છે. (૨) જ્ઞાનસહિત પરિણામનો આશ્રય કરે છે તેથી આત્મા કર્મ છે. (૩) એકાગ્ર થવા માટે સાધકતમ હોવાથી કરણ છે. (૪) પોતે જ શુભ પરિણામનું દાન-પાત્ર (આપવાયોગ્ય) છે તેથી સંપ્રદાન છે. (૫) પહેલાના જ્ઞાનપર્યાયથી પછીના જ્ઞાનપર્યાય વિશુદ્ધ છે તેથી અપાદાન છે. (૬) જેમ કટક (કડું), કુંડલ (બુટ્ટી) વગેરેનો આધાર સોનું છે તેમ આત્મા વિશેષ પર્યાયનો આધાર છે માટે આધાર અધિકરણ છે. આ અભેદે ષટ્કારક સંગતિની વ્યાખ્યા ક૨ી (વખાણી). નયપંડિતોએ નયાંતરે પણ વ્યાખ્યા કરવી. (વખાણવી). આ સાતમી ગાથાનો પર્યાય છે. ૭ ૧. 1, 4, 5, 6, 7, 11 નિ; 3 પિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy