SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ श्लोक ११/४ (लिप्तता ज्ञानसंपात... सर्वोपयुज्यते।) સાધક ધ્યાનમાર્ગે આગળ વધવા માટે સાધના કરે ત્યારે ક્યારેક તે ધ્યાનમાંથી ચલિત થઈને વ્યવહારદશામાં આવે છે. તેની જ્ઞાન-ધ્યાનની ધારા ખંડિત થાય છે. ધારારૂઢ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં જેને આરારુક્ષુ કહ્યો છે તે સાધક. તે ધ્યાન ઉપર આરોહણ કરી રહ્યો છે ત્યારે તેની ખંડિત થયેલી ધારાના પુનઃસંધાન માટે ક્રિયાનું આલંબન જરૂરી છે. પણ આ ક્રિયાથી તેને કર્મબંધ નહીં થાય, કારણ કે તે ક્રિયામાં તેની સાધકદશાને કારણે તેના રાગ-દ્વેષ કે મોહ ભળશે નહીં. જે ધ્યાનારૂઢ છે, ધ્યાનમાં સ્થિર થઈ ગયો છે તેના માટે તો આવશ્યકદિ ક્રિયાઓ જરૂરી નથી. આ શ્લોકમાં “સંપાત”, “ધારારૂઢ”, “ધ્યાનારૂઢ” “પ્રતિઘાત', ‘વ્યુત્થાનદશા' વગેરે શબ્દો વાપર્યા છે તે યોગશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે, જે ઉપાધ્યાયજી મહારાજના તે વિષયના ગહન જ્ઞાનનું ઇંગિત કરે જ છે. સંપાતમાં પાત' એટલે પડવું. અહીંયા સંપાત એટલે “જ્ઞાનની ધારા તૂટે તેથી પડવું.' તેમાંથી ઊઠવું તે વ્યુત્થાન. ધારારૂઢ એટલે ધ્યાનની ધારા ઉપર આરૂઢ, એટલે કે સાધક દશા (આરુરુક્ષુ). ધ્યાનારૂઢ એટલે ધ્યાન પર આરૂઢ - એટલે કે ઉચ્ચ અવસ્થાએ પહોંચેલ. સાધકને ધ્યાનાવસ્થામાં સાંસારિક વિચાર દાખલ થાય ત્યારે તેણે અશુચિ, એકત્વ, અનિત્ય વગેરે છમાંથી યોગ્ય ભાવનાનું આલંબન લેવું જોઈએ, તો તે પાછો વ્યવહારદશામાંથી ઊંચો ઊઠીને ધ્યાનધારામાં આવી શકે. શુદ્ધાત્મ-ધ્યાનધારા છૂટી જાય ત્યારે, એટલે કે પડતાને રોકવા માટે ક્રિયા જરૂરી છે. આ ક્રિયામાં પૌલિક, ધાર્મિક બધી જ ક્રિયા આવે. જ્ઞાન શબ્દ જ્ઞાનદશા, જ્ઞાતાદૃષ્ટાભાવ કે ધ્યાનનું સૂચન કરે છે. ૧૧/૧માં “જ્ઞાનસિદ્ધ” એવો શબ્દ વાપર્યો છે. નિર્લેપજ્ઞાનમગ્ન જ્ઞાનસિદ્ધ છે. જે જ્ઞાનસિદ્ધ છે તેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું છે, એટલે કે તે આત્મજ્ઞાનવાન છે. આકાશ જેમ ચિત્ર કે રંગોથી લેખાતું નથી તેમ જ્ઞાનસિદ્ધ કર્મથી લપાતો નથી. સંપાતમાં સમુ ઉપસર્ગ છે. પાત એટલે પડવું. અગિયારમે ગુણઠાણેથી ચોથે ગુણઠાણે આવ્યો તે સંપાત. યોગશાસ્ત્રની પરિભાષામાં રજૂઆત છે. સાધકનું ધ્યાન ચાલુ છે. જે અનુભવગમ્ય છે તે ધ્યાનગમ્ય છે. ધ્યાનાંતરિકા એટલે બે ધ્યાન વચ્ચેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy