SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ થોડા આર્ય અનારય જનથી, જૈન આર્યમાં થોડા, તેહમાં પણિ પરિણત જન થોડા, શ્રમણ અલપ બહુ મોડા રે. જિનટ વીe[૧-૯] બા૦ થોડા આર્ય અનારય જનથી ક૦ અનારય લોક કરતાં આર્ય લોક થોડો. જે માટે ૩૨૦૦૦ દેશમાં આર્ય તો સાઢી પચવીશ જ. તે આર્યમાં ક૦ આર્યદેશમાં પણિ જૈન લોક નામ ધરાવે એહવા થોડા. જૈન નામ ધરાવે તેહમાં પણ પરિણત જન થોડા ક0 જૈન વાસનાઇં પરિણમ્યા, શ્રદ્ધાવંત સ્યાદ્વાદ શૈલીના જાણ થોડા. તેહમાં પરિણત જનમાં પણિ શ્રમણ –મુનિરાજ અલ્પ બહુ મોડા ક૦ મસ્તક મુંડન કરાવ્યું એતલા માત્ર, પણિ ગુણ વિનાના લોક બહુ. ૯ [૧-૯] સુ॰ આ જગતમાં અનાર્ય લોકોના પ્રમાણમાં આર્યજનો તો થોડા જ છે. આર્યોમાં પણ જૈનો થોડા. જૈનોમાં પણ શ્રદ્ધાવંત સ્યાદ્વાદશૈલીના જ્ઞાતા થોડા. એમાંયે સાચા શ્રમણ મુનિરાજ તો અલ્પ જ, બીજા તો કેવળ મસ્તક મુંડાવેલ જ જાણવા. ભદ્રબાહુ ગુરુ વદત્ત વચન એ, ‘આવશ્યક’માં લહિઈ આણાશુદ્ધ મહાજન જાંણી, તેહની સંગિ રહિઈ રે. જિટ ૧૦[૧-૧૦] બાળ ભદ્રબાહુ સ્વામીના મુખનું એ વચન છે. વક્ષ્યમાણ વચન છે. આવશ્યકમાં તે તેહુઇ કહ્યું છે તે લહીઈ ક0 પામીઇ. આજ્ઞાશુદ્ધ તે માહાજન એતલે જિનાજ્ઞા પાર્લે તેહ જ સંઘ એહવું જાણીને તે મહાજનનેં પાસે વસીઇં.યતઃ – ओगो साहु एगा य साहुणी सावओ व सड्ढी वा । आणाजुत्तो संघो सेसो पुण अट्ठिसंघाओ || १ - ઇતિ ‘આવશ્યક’-વચનાત ્ . ૧૦ [૧-૧૦] સુ૦ ભદ્રબાહુસ્વામિનું આ વચન છે ને ‘આવશ્યક’સૂત્રમાં કહેલું છે કે આજ્ઞાશુદ્ધ હોય તે જ મહાજન, જિનાજ્ઞાનું પાલન કરે તે જ સંઘ. આવા મહાજનની પાસે વસવું. દ Jain Education International ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy