________________
ધર્મદાસગણિ, ભાષ્યકારજી ઉમાસ્વાતિ વાચક પ્રમુખના જે ગ્રંથ તે જાણી કરી ક0 સમ્યજ્ઞાને કરીને સ્યાદ્વાદ દષ્ટિ થઈ. ઇતિ ભાવ. એહવી દષ્ટિ તો પ્રભુકૃપાથી થાય. તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. ભવાયોનિધિ ક0 જે સંસારસમુદ્ર, તેહને વિષે, તુઝ કૃપા ક0 તુમ્ભારી દયા, તદ્રુપ તરી ક0 જિહાજ, મુઝ હોયો ક0 માહરે થાજ્યો એતલે સંસારસમુદ્રમાં તુમ્હારી કૃપા રૂપ જિહાજ માહરે થાયો. ઇતિ ભાવ. ૩૪૦ [૧૬-૨૫].
સુ0 આ રીતે સરલ સ્વભાવે જાણતાં બન્ને નયથી સિદ્ધિ છે. પણ કપટથી નહી, ‘જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે એમ જાણી, પ્રતીત કરીને હું સાચો યશ પામું. આ સ્યાદ્વાદદષ્ટિ થઈ. હરિભદ્રસૂરિ, ધર્મદાસગણિ, ઉમાસ્વાતિ વાચક આદિ પૂર્વાચાર્યોના ગ્રંથો જાણીને આ સ્યાદ્વાદદષ્ટિ થઈ. હે પ્રભુ ! આ સંસારસમુદ્ર પાર કરવા તમારી કૃપારૂપ જહાજ મને પ્રાપ્ત થશે.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org