________________
સૂરિ જગચંદ જાગિ સમરસ ચંદ્રમા, જે ગુરુપાટિ ચઉ અધિક ચાલીસમા; તેહ પામ્યું તપ નામ બહુ તપ કરી, પ્રગટ આઘાટ પુરિંવિજયકમલા વરી. ૩૩૭ [૧૬-૨૨)
બા૦ સૂરિ જગચંદ ક0 જગતચંદ્રસૂરિ, જગિ ક0 જગતને વિષે, સમરસ ચંદ્રમા ક0 સમતારસે કરી ચંદ્રમા સરીખા, એતલે ચંદ્રમા અમૃતરસે ભર્યો તિમ આચાર્ય સમતારસે ભર્યા. જે ગુર્નાદિક ચઉ અધિક ક0 ચ્યાર અધિક પ્યાલીસમાં, એતલે ચૌઆલીસને પાટે થયા. તેહ ક૦ તેહ પામ્યું ક0 નવું પામ્યું, તપા એહવું નામ બહુ તપ કરીને એતલે એ ભાવ જે પ્રગટપણે આઘાટપુર ક0 ઉદયપુરને વિષે રાણોજી હસ્તી ઉપર ચઢી આવતા હતા તિવારે શ્રી જગચંદ્રસૂરિ વર્ધમાન તપ લાગટ કરતા. દુર્બલ શરીરના ધણી સન્મુખ આવતા હતા. તિવારે રાણે પ્રધાનને પૂછયું કે એ કુણ આવે છે? તિવારે પ્રધાને કહ્યું કે “મહારાજ એ આચાર્ય તપ ઘણો કરે છે તેહુ આવે છે.” તિવારે રાણે હેઠાં ઊતરી નમસ્કાર કરીને “મહાતપા” એહવું બિરદ દીધું. તિવારે પ્રધાને કહ્યું, “મહારાજ ! મહા પદ કાઢી નાખો. નહીંતર લોક મહાતપા'ને ઠામે “મહાતમાં કહેયે. તે માટે “મહાપદ મત કહો.” તિવારે રાણે ‘તપા' નામ દીધું. એ પણ ગુણનિષ્પન્ન છઠું નામ થયું. પણિ તપા નામ પણિ કદાગ્રહ નથી થયું. તથા વિજયકમલા વરી ક0 રાણાજીની સભામાં ચોરાસી વાર જીતીને જયકમલા વરી તિવારે રાણે હીરલા જગતુચંદ્રસૂરિ કહી બોલાવ્યા. ઈત્યાદિક જાણવું. ૩૩૭ [૧૬-૨૨]
સુ0 પછી સમતારસે ભર્યા જગતચંદ્રસૂરિ ચંદ્રમા સરીખા ૪૪મી માટે થયા. તેઓ સળંગ વર્ધમાન તપ કરતા હતા. એક વાર ઉદયપુરના રાણા હાથી ઉપર ચઢીને આવતાં આ સાધુ સામે મળ્યા. રાણાએ પ્રધાનને એમને વિશે પૃચ્છા કરતાં પ્રધાને મોટા તપસ્વી સાધુ તરીકે ઓળખ આપી. ત્યારે રાણાએ હેઠે ઊતરી, નમસ્કાર કરીને એમને ‘મહાતપા'નું બિરુદ આપ્યું. પ્રધાને “મહા’ પદ કાઢી નાખવા સૂચવ્યું. કેમકે લોકો “મહાતપા”ને બદલે મહાતમા’ કહેશે. પછી રાણાએ ‘તપા' નામ આપ્યું. ત્યારથી છઠ્ઠું ‘તપાગચ્છ” નામ થયું.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org