SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ થકો પણ નવિ લાજે ક૦ ન લાજે. એતલે ધર્મકરણી કરતો લાજે નહીં. ગાજે રે ક૦ ઉત્સુક હોય, હર્ષવંતો હોય. નિજ ધર્મે ક0 પોતાના ધર્મને વિષે એ બારમો ગુણ જાણવો.૧૨. યદ્યપિ ધર્મરત્ન'માં ચિંતામણિ રત્ન સરીખી ક્રિયા કરતો ન લાજે ઇમ કહ્યું છે, તોહિ ઇહાં ચિંતામણિ સરીખો ધર્મ કહ્યો તેહમાં કાંઇ વિરુદ્ધ નથી, જે કારણે, ક્રિયા ને ધર્મ જુદો નથી. ઇતિ. ૨૬૬ [૧૩-૧૩] સુ૦ ૧૨. નિલ્ડ્રીક : મૂર્ખ લોકો હાંસી ઉડાવે છતાં, ધર્મકરણી કરતો જે લજવાય નહીં, ઊલટાનો ધર્મ કરવામાં ઉત્સુક અને હર્ષવંત બને. આ બારમો ગુણ. ધનભવનાદિક ભાવે જે નવિ રાગી નવિ દ્વેષી રે, સમપેખી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૨૬૭ [૧૩-૧૪] બા હવે તેરમો અરકતષ્ટિ નામા ભેદ વખાણે છે. શરીરની સ્થિતિ હેતુ છે. ધનભવનાદિક આદિ શબ્દથી સ્વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્ર, વસ્ત્ર, શસ્ત્ર, યાન, વાહન, ઇત્યાદિક લેવા. પણિ તે પદાર્થમાં રહેતો થકો પણિ, નવિ રાગી નવિ દ્વેષી ક૦ રાગદ્વેષ રહિત એહવો હોય. એતલે મંદ આદર હોય એ ભાવ. અન્યથા રાગદ્વેષ રહિત તો ઉપલે ગુણઠાણે હોય તે કિમ ઘટે ? સમપેખી ક૦ મધ્યભાવનો જોનારો હોય, જે માટે, ભાવશ્રાવક ઇમ ભાવે. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૭૨ની વૃત્તિ] 'न य इत्थ कोइ सयणो, न सरीरं नेव भोग-उवभोगा । जीवो अन्नभवगइं गच्छइ सव्वं पि मोत्तूर्णं ॥१॥ ઇત્યાદિ અવિનીત લોક ઉપરિ દ્વેષ પણ ન કરે તે શ્રાવક તેરમે ગુણે વિલસ્યું. ૨૬૭ [૧૩-૧૪] સુ૦ ૧૩. અરક્તદ્રિષ્ટ : સ્વજન, આહાર, ઘર, ક્ષેત્ર, કલત્ર, વસ્ત્ર, શસ્ત્ર, વાહન આદિ રાખે ખરો પણ એ પ્રત્યે રાગદ્વેષ રહિત હોય, મંદ આદરભાવવાળો હોય, સમભાવે જોનારો હોય. આ તેરમો ગુણ. રાગદ્વેષ મધ્યસ્થનો, શમ ગુણ ચઉદમેં ન બાંધે રે, સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૨૬૮ [ ૧૩-૧૫] પં. પદ્મવિજયજીકત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૧૮૯ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy