________________
પાંચ ગુણને લીધે આ ગુણવંત' કહ્યા છે. (૧) સઝાય-સ્વાધ્યાય કરે, (૨) અનુષ્ઠાન-ક્રિયા કરે, (૩) ગુરુ પ્રત્યે હરેક પ્રકારનો વિનય દાખવે, (૪) કદાગ્રહી ન બને અને (૫) જિનાજ્ઞામાં દઢ શ્રદ્ધા રાખે. સઝાઈ ધારે વૈરાગ, તપનિયમાદિક કરણે રાગ, વિનય કયુંજે ગુણનિધિ તણો, જિમ મન વાધે આદર ઘણો.
ર૪૫ [૧૨-૯] બા) પાંચેનાં ફલ કહે છે. પ્રથમ સક્ઝાય કરતાં જીવને વૈરાગ વધઈ (૧). અનુષ્ઠાનમાં સાવધાન થઈ કો જીવ તપનિયમમાં ઉદ્યમવંત હોય. તપ તે ૧૨ ભેદે પ્રસિદ્ધ છે. નિયમ તે સાધુને વિશ્રામણા ઉત્તરપારણા, લોચ કરાવ્યો હોય તેહને વૃત પ્રમુખનું દાન. યત
"पहसंतगिलाणस्सं य आगमगहणे च लोयकडसाहू । ૧૩ત્તરપારખifમ ય રાખે સુવહુન્ત .” ૧ ઇતિ. [ધર્મરત્ન પ્ર., ગા. ૪૪ની વૃત્તિ] તથા ગુરુવંદના, ચૈત્યવંદના તથા પૂજા પ્રમુખ પણ એ ગુણમાં લેવા (૨). ગુણના નિધાન પુરુષનો વિનય પ્રયુજે ક0 કરે. ગુણવંત આવે ઊભો થાય, સાતમો જાય, મસ્તકે અંજલિ કરે, આસન આપે, ગુરુ બઇઠા પછી બેસે, સેવા કરે, જાય તિવારે વોલાવા જાય ઇત્યાદિક કરે (૩). જિમ તે ગુરુને વિનયવંત દેખી તે ઉપરિ ઘણો આદર વધે. આમ્નાયાદિક ગુરુ તેહનિ આપિ ૨૪૫ [૧૨-૯]
સુ0 ગુણવંતના આ પાંચેય ગુણોનું ફળ (૧) સઝાય કરતાં વૈરાગ્ય વધે, (૨) અનુષ્ઠાન કરતાં તપ નિયમમાં ઉદ્યમવંત થવાય (સાધુને વિશ્રામણા, ઉત્તરપારણા, લોચ પછી વૃતાદિનું દાન, ગુરુવંદના આદિ), (૩) ગુણીજન-ગુરુજન આવતાં ઊભો થાય, સામો જાય, મસ્તક નમાવે, આસને આપે, ગુરુ બેઠા પછી બેસે, સેવા કરે, ગુરુ જતાં વળાવવા જાય વગેરે વિનય કરે. આ બધું દેખી ગુરુનો ગુણવંત ઉપર આદર વધે. અભિનિવેશી અવિતથ ગણે, ગીતારથ ભાષિત જે સુણે, સહણાઈ સુણવા ચાહ, સમકિતનો મોટો ઉચ્છા. ૨૪૬ [૧૨-૧૦] ૧૭૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org