SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એવી રીતે આ મહાન સૂરિરાજે આ કાળમાં જૈનધર્મની અત્યંત ઉન્નતિ કરેલી છે. એવી રીતે જૈનધર્મની ઉન્નતિ તથા લોકોપકારનાં અનેક કાર્યો કરી સંવત ૧૯૫૩ની સાલમાં પંજાબમાં આવેલા ગુજરાંવાલા નામે ગામમાં આ ફાની દુનિયાનો ત્યાગ કરી તેઓ સ્વર્ગમાં સિધાવ્યા છે. હવે તેવા મહાત્માની યાદગીરી કાયમ રાખવા માટે પવિત્ર તીર્થ શત્રુંજયાદિક ઘણી જગોએ તેમની પ્રતિમાઓ, પગલાંઓ તથા તેમના નામની પાઠશાળાઓ, લાયબ્રેરીઓ વિગેરે સ્થાપન કરવામાં આવેલી છે. પણ તે સઘળી યાદગીરીઓ તે વસ્તુઓની હયાતી સુધી જ રહી શકે છે. અને હજારો વર્ષો સુધી તેમની યાદગીરી પુસ્તકદ્વારા રહી શકે છે. એમ વિચારી આ સૂરિરાજના મહાન શિષ્ય શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના મહાન શિષ્ય શ્રી હંસવિજયજી મહારાજના શિષ્ય શ્રી સંપદ્ધિજયજી મહારાજની તથા બીજા કેટલાએક સજ્જનોની પ્રેરણાથી તેમના જીવનચરિત્રનો સંસ્કૃત ભાષામાં કાવ્યબંધ તેના ગુર્જર ભાષાંતર સહિત સત્તર સર્ગોનો આ શ્રી વિજયાનંદાભ્યુદય મહાકાવ્ય નામનો ગ્રંથ મેં મારી અલ્પશક્તિ પ્રમાણે બનાવ્યો છે. આ ગ્રંથની રચના માટે મુંબઇના રહીશ શેઠ ઠાકરશી હીરજીનાં સૌભાગ્યવંતાં પત્ની બાઈ પુરબાઇ તરફથી રૂપિયા બસો તથા છાણીવાળા શેઠ કીલાભાઇ પાનાચંદ તરફથી રૂપિયા દોઢસો મને ઇનામના મળેલા છે, માટે અહીં પ્રસંગોપાત હું તેમનો પણ ઉપકાર માનું છું. ઇતિ. Jain Education International લાં. પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજ (જામનગરવાળા) (ગ્રંથકર્તા તથા છપાવી પ્રસિદ્ધ કરનાર) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy