________________
બે વાત
પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પ્રત્યેની બહુમાનભરેલી ભક્તિના કારણે તેઓના રચિત સમગ્ર સાહિત્ય વિષે જિજ્ઞાસા રહેતી હતી તેમાં આ યશોદોહન પુસ્તક મળ્યું. વાંચ્યું. ગમ્યું.
ઘણી જહેમતના પરિણામે આનું નિર્માણ થયેલું લાગ્યું.
આમે પ્રો. હી. ૨. કાપડિયા પૂરો શ્રમ કરીને પુસ્તકનું નિર્માણ કરવા શ્રીસંઘમાં વિદ્વજ્જનોમાં જાણીતા છે.
એ પ્રકાશન સુલભ ન હતું અને બીજા ઘણા સંયમધર અને વિદ્વાનો પણ આ પુસ્તકનું પુનઃપ્રકાશન થાય તેવું ઇચ્છતા હતા.
તેમાં આની રજા માટે તેઓશ્રીના સુપુત્ર વગેરે પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ રજા તો આપી જ આપી, પણ આના પ્રકાશનનો લાભ પણ લેવા તત્પરતા દર્શાવી, જે બેવડા આનંદનો વિષય બન્યો.
આ પુસ્તકના પુનઃપ્રકાશનનું અઘરું કામ તથા આના પૂફવાચન જેવું કિડાકૂટવાનું કામ કરવામાં ઉત્સાહી પ્રો. કાન્તિભાઈ બી. શાહનું સ્મરણ સહજ થાય
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના પ્રેમી વિરતિધરો તથા વિદ્વજનો આ ગ્રંથનો ભરપૂર પ્રયાસ કરે તેવું વીનવીને આ અલ્પ લખાણ પૂર્ણ કરું છું. આષાઢ પૂર્ણિમા
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રશિષ્ય વિ.સ. ૨૦૬૪
પ્રદ્યુમ્નસૂરિ સાન્તાક્રુઝ (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org