SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપખંડ ૪ પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય પિસ્તાળીસ આગમોનાં નામની સન્મય પૂ. વિ. સં. ૧૭૧૮) – આ તેર કડીની લઘુકૃતિ એના નામ પ્રમાણે ૪૫ આગમોનાં નામ રજૂ કરે છે. અહીં ૪પ આગમો તરીકે ૧૧ અંગ, ૧૨ ઉવંગ (ઉપાંગ), ૬ છેયછેદ), ૧૦૫ણગપ્રકીર્ણક), નંદી, અણુઓગદાર (અનુયોગદ્વાર) અને ૪ મૂલનો ઉલ્લેખ છે. અહીં છ છેય તરીકે કિપ, વવહાર, નિસીહ, પંચકપ્પ, મહાનિસીહ અને વવહાર એટલે કે જીયકપ ગણાવાયાં છે, જ્યારે દસ પUણગ તરીકે નિમ્નલિખિત આગમોનો નિર્દેશ કરાયો ચઉસરણ, આઉરપચ્ચકખાણ, વીરત્યય, ભત્તપચ્ચકખાણ, તંદુવેયાલિય, ચંદાઝય, ગણિવિજા, મરણસમાહિ, દેવિંદWય, અને સંથારગ. ચાર મૂલ તરીકે દસયાલિય, ઓહનિત્તિ, આવસ્મય અને ઉત્તરઝયણ ગણાવાયાં છે. અહીં જે ૪૫ આગમોનાં નામ અપાયાં છે તેમાંનાં ઘણાંખરાં પાઈયે ભાષામાં છે અને એ પૈકી કેટલાંક તો એના ગુજરાતી રૂપાંતરરૂપ છે. જીયકપ્પને બદલે વવહારનો ઉલ્લેખ છે એ વિલક્ષણ ગણાય. પાંચમા અંગમાં ૩૬૦૦૦ પ્રશ્નો હોવાનું કહ્યું છે. નંદી અને અણુઓગદાર એ બે આગમોને સૂત્રરૂપ રત્નની પેટીની કૂંચી તરીકે ઓળખાવાયા છે. અગિયાર અંગની સઝાય – જૈન આગમોમાં ૧૧ અંગો મહત્તા અને પ્રાચીનતાની દષ્ટિએ અગ્રસ્થાન ભોગવે છે. એ ૧૧ અંગોનાં નામ નીચે મુજબ આયાર (આચાર), સૂયગડા(સૂત્રકૃત), ઠાણ(સ્થાન), સમવાય, વિવાહપણત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) યાને ભગવાઈ (ભગવતી), નાયાધમ કહા(જ્ઞાતાધર્મકથા), ઉવાસગદીસા(ઉપાસકદશા), અંતગડદસા(અંતકૃદશા), અણુત્તરોવવાયદા(અનુત્તરોપપાતિકદશા), પહાવાગરણ(પ્રશ્નવ્યાકરણ) અને ૧. કર્તાએ તમામ નામો પાઇયમાં આપ્યાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy