SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહન : ખંડ-૨ ઉલ્લેખ છે. ત્રીજી કૃતિમાં નદી ઊતરવાથી પાપ ખરું કે નહિ એ પ્રશ્ન વિચારાયો છે. આ કૃતિમાં ‘બત્રીસ સૂત્ર' એવો બાંધેભારે ઉલ્લેખ છે. જિનેશ્વરના જન્મ સમયે એમને જળભર્યાં એક કરોડ અને સાઠ લાખ કળશો વડે નવડાવે છે એ વાત અહીં કરી છે. જિનપ્રતિમાસ્થાપન સ્તવન (પૂ. વિ. સં. ૧૭૧૮) - આ દસ કડીના પ્રાગ્ઐતિહાસિક અને ઐતિહાસિક વિગતો રજૂ કરતા સ્તવન દ્વારા જિનપ્રતિમા તે જિનવરની સમાન છે અને જિન-પ્રતિમામાં સંદેહ ન રાખવો એમ કહ્યું છે. એમ કરતી વેળા ભરત વગેરેએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યાનો – ભરતે સુવર્ણના પ્રાસાદ કરાવી તેમાં રત્નનાં બિંબ સ્થાપ્યાંનો, વિ. સં. ૧૩૭૧માં સમરોશા ( ) એ અને વિ. સં. ૧૬૭૬માં બાદરશાહને વારે કરમાશાહે અનુક્રમે પંદરમા અને સોળમા ઉદ્ધાર કર્યાનો ઉલ્લેખ છે. વિશેષમાં કોણે ક્યારે કેટલા પ્રાસાદ કરાવ્યા અને કેટલાં બિંબ સ્થાપ્યાં તે વિષે નીચે મુજબ માહિતી અપાઈ છે : પ્રાસાદની સંખ્યા સવા લાખ વર્ષ વીર સંવત્ ૨૯૦ વિ. સં. ૧૯૯૩ વિ. સં. ૧૧૯૯ વિ. સં. ૧૨૯૫ ૧૮૫ વ્યક્તિ સંપ્રતિ રાજા વિમલ મંત્રી કુમારપાલ રાજા વસ્તુપાલ-તેજપાલ વિ. સં. ૧૨૭૨માં ધન્ના સંઘવીએ ૯૯ કરોડ દ્રવ્ય ખર્ચી રાણકપુરમાં દહેરાં કરાવ્યાં એ વાત તેમજ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી હતી એ વાત છઠ્ઠા અંગની સાક્ષી આપી રજૂ કરાઈ છે. ? ૫૦૦૦ Jain Education International 99 બિંબની સંખ્યા સવા કરોડ ૨૦૦૦ OoO8 ૧૧૦૦૦ ધમ્મપરિખા (ધર્મપરીક્ષા) ઉ. વિ. સં. ૧૭૨૬) ન્યાયાચાર્ય ૧. ગુ. સા. સં. વિ. ૧, પૃ. ૧૧૮-૧૧૯)માં આ સ્તવન છપાયું છે. એમાં એના નામાંતર તરીકે કુમતિકલતા ઉન્મિલન સ્તવન” એવો ઉલ્લેખ કરાયો છે. ૨. એમણે ‘આબુ’ ઉપર દહેરાં કરાવ્યાં પરંતુ કેટલાં તેનો ઉલ્લેખ નથી. ૩. આ કૃતિ સ્વોપન્ન વિવરણ સહિત પાટણની “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી વિ. સં. ૧૯૭૮માં અને જૈ. ગ. પ્ર. સ.” તરફથી અમદાવાદથી વિ. સં. ૧૯૯૮માં પ્રકાશિત કરાઈ છે. આમ મૂળ કૃતિ અને એનું સ્વોપજ્ઞ વિવરણ બે વાર છપાવાયાં છે. દ્વિતીય પ્રકાશનમાં મૂળ કૃતિની ગાથાઓની સંસ્કૃત છાયા, ગાથાઓની અકાદિ ક્રમે સૂચી, સ્વોપજ્ઞ વિવરણગત સાક્ષીરૂપ ગ્રંથોની પત્રાંકના નિર્દેશ વિનાની અને અકારાદિ ક્રમથી અનલંકૃત સૂચી, ઘણાંખરાં પાઇય અવતરણોની સંસ્કૃત છાયા તેમજ સ્વોપજ્ઞ વિવરણના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy