SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ १९ છે. આના સમર્થનાર્થે હું આ કૃતિનું આદ્ય પદ્ય અત્ર રજૂ કરું છું ઃ શ્રીનવખંડ અખંડ ગુણ નવમી પાસ ભગવંત કરસ્યું કૌતુક કારણે વાહણ-સમુદ્રવૃત્તાન્ત. - ૧” (૫) અભ્યર્થના – ગ્રન્થ રચવાનો એક હેતુ શિષ્ય જેવાની અમુક વિષયની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે તેની તરફથી કરાયેલી અભ્યર્થના છે. આવા હેતુને ન્યાય આપવા ન્યાયાચાર્યે કોઈ કૃતિ રચી છે ખરી ? નામકરણ – આપણા આ દેશમાં – “ભારતવર્ષમાં પ્રાચીન સમયમાં એવી કેટલીક કૃતિઓ રચાઈ છે કે જેનાં નામ એના પ્રણેતાઓએ દર્શાવ્યાં નથી. એ નામો તો આગળ ઉપર એ કૃતિઓના વિવરણકારોએ અથવા તો અવતરણ આપતી વેળા કે અન્ય કોઈ કારણસર એનો ઉલ્લેખ કરતી વેળા તેમ કરનારે યોજ્યાં છે. કાલાંતરે કૃતિનું નામ કત દર્શાવે એવી અનેક કૃતિઓ રચાઈ છે. પ્રસ્તુતમાં આપણે યશોવિજયગણિની કૃતિઓનો વિચાર કરીશું તો એમની કેટલીક સંસ્કૃત તેમજ પાઇપ કૃતિઓનો નામનિર્દેશ એમણે જાતે કર્યો છે. યશોવિજયગણિની ઘણીખરી સંસ્કૃત અને પાઇય કૃતિનાં નામનો અંત્ય અંશ એમના પુરોગામી જૈન કે અજૈન કે બંને ધર્મના પ્રત્થકારોના ગ્રન્થોમાં નજરે પડે છે. આ હકીકત હું નીચે મુજબ દર્શાવું છું: અંત્ય અંશ ૧. અર્ણવ ૨. અષ્ટક ૩. આલોક યશોવિજયગણિની કૃતિ જ્ઞાનાર્ણવ, વાદાર્ણવ અષ્ટક દ્રવ્યલોક, ન્યાયાલોક પુરોગામીની કૃતિ જ્ઞાનાર્ણવ કિંવા યોગપ્રદીપ અષ્ટક (હારિભદ્રીય) પ્રમાણનયતત્ત્વાલક, ધ્વન્યાલોક ભામહકૃત) ૪. ઉક્તિ ૫. ઉપદેશ ૬. ઉપનિષદ્ સિડન્વયોક્તિ અધ્યાત્મોપદેશ, નયોપદેશ અધ્યાત્મોપનિષદ્ આચારોપદેશ અધ્યાત્મોપનિષદ્ કિંવા યોગશાસ્ત્ર કાવ્યકલ્પલતા ૭. કલ્પલતા વૈરાગ્યકલ્પલતા, સ્યાદ્વાદ કલ્પલતા ન્યાયખડખાદ્ય ૮. ખડખાદ્ય ખડખડ઼ખાદ્ય (શ્રીહર્ષકૃત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy