SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય યાને તર્કશાસ્ત્ર સિદ્ધાન્તમંજરી પણ કહે છે. એ અજૈન કૃતિ છે અને એના કર્તા જાનકીનાથ શર્મા છે. એમણે આ કૃતિને ચાર પરિચ્છેદમાં ચાર ખંડમાં વિભક્ત કરી છે : (૧) પ્રત્યક્ષ-ખંડ, (૨) અનુમાન-ખંડ (૩) ઉપમાન ખંડ અને (૪) શબ્દ-ખંડ. ૧૦૨ ન્યાયસિદ્ધાન્તમંજરીનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : પ્રામ્ય પરમાત્માનં, ખાનજીનાયશર્મા । क्रियते युक्तिमुक्ताभिर्न्यायसिद्धान्तमञ्जरी ॥ १ ॥”” આ ઉપરથી બે બાબત તારવી શકાય છે (૧) આ કૃતિનું નામ ન્યાયસિદ્ધાન્તમંજરી છે. (૨) આ કૃતિના પ્રણેતાનું નામ જાનકીનાથ શર્મા છે. પ્રથમ ખંડના અંતમાં (પૃ. ૬૦માં) નીચે મુજબ પુષ્પિકા છે . “તિ "इति श्रीचूडामणिभट्टाचार्यविरचितायां न्यायसिद्धान्तमञ्जर्यां છેલ: ।'' એવી રીતે બાકીના ખંડો માટે પણ આ જાતની પુષ્પિકા છે. એમાં પ્રત્યક્ષને બદલે અનુમાન, ઉપમાન અને શબ્દ એમ અનુક્રમે ઉલ્લેખ છે. ૨ प्रत्यक्ष જાનકીનાથ શર્માનો સંક્ષિપ્ત પરિચય A His. of Ind. Logic (પૃ. ૪૬૬)માં નીચે મુજબ અપાયો છે એમણે ચાર પ્રકારનાં પ્રમાણોને અંગે ન્યાયસિદ્ધાન્તમંજરી' નામનું પુસ્તક રચ્યું છે. એનો રચનાસમય ઈ. સ. ૧૫૫૦ હોવાનો ઘણો સંભવ છે. આ પુસ્તકમાં એમણે શિવાદિત્યમિશ્ર, મુરારિમિશ્ર અને ચિન્તામણિનો ઉલ્લેખ કર્યો છે. એમના આ પુસ્તક ઉપર બારેક ટીકા છે. એમને ‘ભટ્ટાચાર્ય ચૂડામણિ’ કિંવા ન્યાયચૂડામણિ' તરીકે ઓળખાવાય છે. ન્યાયસિદ્ધાન્તમંજરીના બધા ટીકાકારનાં નામ તો ઉપર્યુક્ત પુસ્તકમાં અપાયાં નથી, પણ બે નામ એમાં નોંધાયેલાં છે : (૧) નૃસિંહપંચાનન (લ. ઈ. સ. ૧૬૭૫). એમણે ન્યાયસિદ્ધાન્તમંજરી ઉપર ૧. આ મંગલાચરણરૂપ પદ્યને બાદ કરતાં સમગ્ર કૃતિ ગદ્યમાં છે. ૨. જુઓ પૃ. ૧૧૮, ૧૨૮ અને ૨૯૪, પૃ. ૨૯૪માં “ઇતિ” પછી મહામહોપાધ્યાય' એટલો શબ્દગુચ્છ વધારે છે. ૩. જુઓ પૃ. ૪૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy