SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ યશોદોહન : ખંડ–૨ સંસ્કૃતમાં, કેટલાક પાઇયમાં, કેટલાક ગુજરાતીમાં અને કેટલાક હિંદીમાં છે. એમના તમામ ગ્રન્થો હજુ સુધી તો મળી આવ્યા નથી. જે સંસ્કૃત ગ્રન્થો મળ્યા છે તેમાંના ઘણાખરા “ઐન્દ્ર”થી શરૂ કરાયા છે. એ શું ઐકારના જાપનું – મંત્રનું દ્યોતન ક૨વા માટે હશે ? હવે આપણે સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્યનો વિચાર કરીશું. [] વ્યાકરણ તિઙન્વયોક્તિ યશોવિજયજીગણિએ કોઈ સ્વતંત્ર વ્યાકરણ રચ્યું હોય અથવા તો કોઈ જૈન કે અર્જુન વ્યાકરણની વૃત્તિ રચી હોય એમ જણાતું નથી. બાકી એઓ વ્યાકરણમાં નિષ્ણાત હતા અને નૈયાયિકોને અને સાથે સાથે શાબ્દિકોને વિનોદનું સાધન પૂરું પાડવાના ઉદ્દેશથી એમણે તિન્વયોક્તિ રચી છે. આ કૃતિ પૂરેપૂરી આજ દિન સુધીમાં મળી આવી નથી. એની બે પત્ર પૂરતી એક હાથપોથી મળે છે. એ ઉ૫૨થી જાણી શકાય છે કે પ્રારંભમાં નીચે મુજબનું એક પદ્ય સંસ્કૃતમાં છે અને ત્યારબાદનું લખાણ સંસ્કૃતમાં ગદ્યમાં છે - "ऐन्द्रव्रजाम्यर्चितपादपद्यं ‘સુમેરુ’ધાર્ં પ્રશિપન્ય વીમ્ । वदामि नैयायिक - शाब्दिकानां मनोविनोदाय तिङन्वयोक्तिम् ॥१॥ ૨૩ આ પદ્યમાં સૂચવાયા મુજબ આ કૃતિનો વિષય “તિઙૂ”ના અન્વયનું કથન છે. ‘તિç' એ પાણિનીય અષ્ટાધ્યાયીનાં સૂત્ર ૩ | ૪ | ૮ અને ૧ | ૧ | ૭૧ મળીને ઉદ્દભવતી સંજ્ઞા છે. એ તિર્ ઇત્યાદિ ૧૮ પ્રત્યયોની – ૫૨મૈપદના નવ પ્રત્યયો તેમજ આત્મનેપદના નવ પ્રત્યયો માટેની સંજ્ઞા છે. આ કૃતિમાં ક્રિયાપદ (આખ્યાત)ના અર્થ, અન્વય અને શાબ્દ-બોધને લગતા વૈયાકરણો, મીમાંસકો અને નૈયાયિકોના મત દર્શાવાયા છે. પ્રારંભમાં નવ્ય વૈયાકરણોના મત મુજબ ધાતુના વ્યાપાર અને ફળ એમ બે અર્થ કરાયા છે. ત્યારબાદ આ બેનો આશ્રય તે તિલ્ડ્રનો અર્થ છે એમ કહી વ્યાપારનું લક્ષણ આપી એ લક્ષણ ઘટાવાયું છે. વ્યાપારના ફૂત્કાર ઇત્યાદિ પ્રકારો જણાવી એ વ્યાપારની સાથે ફ્ળનો અન્વય બતાવાયો છે. આખ્યાતના ચાર અર્થ દર્શાવી કર્યો અર્થ ક્યાં સંગત થાય છે તે દર્શાવાયું છે. આને અંગે નૈયાયિકોનો અભિપ્રાય જણાવી. એ અભિપ્રાયમાં દોષ દર્શાવાયા ૧. આના પિરચય માટે જુઓ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ (ખંડ ૧, પૃ. ૧૦૩) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004561
Book TitleYashodohan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Pravartak
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy