________________
૪૨. સાધ્વી ચક્ષા જૈન પરંપરામાં મહાસતી ચંદનબાળા પછી યક્ષા, યક્ષદરા જેવી સાત પરમ પ્રભાવક સાધ્વીઓની ગૌરવગાથા સાંપડે છે. પાટલિપુત્રના નંદરાજા મહાપદ્મના મહામંત્રી શકટાલ શ્રમણોપાસક હતા. એમની પત્ની લાંછનદેવી પણ ધર્મોપદેશિકા હતી. એમને બે પુત્ર સ્થૂલભદ્ર અને શ્રીયક તથા યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, સણા, વેણા અને રેણા નામની સાત પુત્રીઓ હતી. માતાપિતાના ધર્મસંસ્કારનો અમૂલ્ય વારસો સંતાનોને મળ્યો હતો. - આ સાતે પુત્રીઓ આશ્ચર્યજનક સ્મરણશક્તિ ધરાવતી હતી. અત્યંત લાંબું હોય કે ગમે તેવું અઘરું ગદ્ય કે પદ્ય હોય, પણ યક્ષા એને માત્ર એક વાર સાંભળીને સ્મૃતિમાં અકબંધ સાચવી શકતી હતી અને તરત જ એ ગદ્ય કે પદ્ય ખંડને યથાવતુ બોલી શકતી હતી. બીજી બહેન બે વાર, ત્રીજી બહેન ત્રણ વાર - એ પ્રકારે સાતમી બહેન સાત વાર કોઈ પણ ગદ્ય કે પદ્ય સાંભળ્યા પછી એને એ જ રીતે રજૂ કરી શકતી હતી.
નંદરાજા મહાપદ્મની સભામાં વરરુચિ નામનો એક ઘમંડી કવિ હતો, પણ એનો ઘમંડ રાજસભામાં આ સાત ભગિનીઓની સ્મરણશક્તિ આગળ ઊતરી ગયો. પરિણામે કવિ વરરુચિએ શકટાલ સામે પયંત્ર રચ્યું. પરિણામે સત્ય સિદ્ધ કરવા મંત્રી શકટાલે રાજ્ય અને કુટુંબની હાજરીમાં પોતાના નાના પુત્રને રાજદરબારમાં વધ કરવાની આજ્ઞા આપી. શ્રેયાંકે પિતાની આજ્ઞા મુજબ રાજદરબારમાં એમનો વધ કર્યો. પિતાના આવા અપ્રતિમ ત્યાગ અને બલિદાનને જોઈને પુત્રીઓને ઊંડો આઘાત લાગ્યો. બહેનોએ સત્તા, સમૃદ્ધિ અને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. પરિણામે સાતે બહેનોએ ત્યાગમાર્ગના પંથે ચાલવાનો સંકલ્પ કર્યો.
મંત્રી શકટાલના મૃત્યુ પછી એમના પુત્ર સ્થૂલભદ્રને રાજાએ મહાઅમાત્યપદ આપવા માંડ્યું, ત્યારે સ્થૂલભદ્ર પણ મહાઅમાત્યનું મોટું ગણાતું પદ સ્વીકારવાને બદલે મહિમામય ત્યાગપંથનો સ્વીકાર કર્યો. આ સાત વિદુષી સાધ્વીઓએ એકાદશાંગીનું ઊંડું અધ્યયન કર્યું અને સમય જતાં જિનશાસનની સેવા પણ કરી. યક્ષા, યક્ષદત્તા આદિ સાત બહેનોએ આચાર્ય શ્રી સંભૂતિવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી.
સાધ્વી યક્ષાના નાના ભાઈ શ્રીયકે સાધુતા સ્વીકારી, કિંતુ એમનાથી ભૂખ્યા રહીને ઉપવાસ થઈ શકતો નહીં. એક વાર યક્ષાએ પોતાના ભાઈ શ્રીયકને પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે તપનું મહત્ત્વ સમજાવ્યું અને કહ્યું કે તપના અગ્નિ દ્વારા જ તમારા કર્મસમૂહનો નાશ થઈ શકશે. આવા પર્વના સોહામણા દિવસે જો ઉપવાસ ન થઈ શકે, તો એકાસણું તો કરો જ. પરંતુ પ્રાત:કાળે મુનિ શ્રીયકના મૃત્યુના સમાચાર સાંભળીને સાધ્વી યક્ષાને પારાવાર દુઃખ, ગાઢ પશ્ચાત્તાપ અને પ્રબળ આત્મગ્લાનિ થયાં. શ્રીસંઘે એમને વારંવાર કહ્યું કે આમાં તેઓ કોઈ રીતે કારણભૂત નથી. પરંતુ સાધ્વી યક્ષાએ દિવસો સુધી અન્ન-જળ લીધાં નહીં.
શ્રીસંઘ વ્યથિત બની ગયો, યક્ષાએ કહ્યું કે જો કોઈ કેવળજ્ઞાની એમ કહે કે તે નિર્દોષ છે તો જ એ અન્ન-જળ ગ્રહણ કરશે.
શ્રીસંઘ શાસનની અધિષ્ઠાત્રી દેવીની આરાધના કરી. દેવીની સહાયથી સાધ્વી યક્ષા શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં પહોંચ્યા. ઘટઘટના અંતર્યામી તીર્થકર શ્રી સીમંધરસ્વામીએ સાધ્વી યક્ષા નિર્દોષ હોવાનું કહ્યું અને એને પ્રાયશ્ચિત્ત સ્વરૂપે ચાર અધ્યાય સંભળાવ્યા જે અપ્રતિમ સ્મરણશક્તિ ધરાવતી યક્ષાએ કંઠસ્થ કરી લીધા. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીના દર્શનથી પોતાના જીવનને ધન્ય માનતી સાધ્વી યક્ષા પુનઃ પાછી આવી. એમણે સ્મરણશક્તિના બળે એ ચારે અધ્યાય સંઘ સમક્ષ યથાવત્ પ્રસ્તુત કર્યા. શ્રીસંઘે “આચારાંગ સૂત્ર” અને “દશવૈકાલિક સૂત્ર”માં એને સંકલિત કર્યા. ‘ભાવના' તથા ‘વિમુક્તિ ને શ્રી આચારાંગ સૂત્રમાં અને ‘રતિકલ્પ' તથા ‘વિચિત્રચર્યા'ને શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકાના રૂપમાં સંમિલિત કરવામાં આવ્યા. એ પછી સાધ્વી યક્ષા અગાઉની માફક પોતાની બહેનોની સાથે આત્મકલ્યાણ અને પરકલ્યાણની સાધનામાં તથા જિનશાસનની સેવામાં ડૂબી ગઈ. સાધ્વી યક્ષા સહિત સાતે બાલબ્રહ્મચારિણી, તેજસ્વી અને વિશિષ્ટ શ્રુતસંપત્તિ ધરાવતી મહાસતીઓ યુગો સુધી સાધ્વીસંઘને જ નહીં, બલ્લે સમગ્ર જૈન સંઘને પ્રેરણા આપતી રહેશે.
ધર્મસ્નેહસૌજન્ય મુનિ શ્રી શશીચંદ્ર વિ જ યજી મ.ના ઉપદેશથી અ. સી. આરતી (અવનિ) હીરેનકુમાર કોઠારી, માટુંગા - મુંબઈ
are
not
For Private Peter
www.talne brary.org