SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬. સાધ્વી ભદ્રામા ધન્ય છે ભદ્રામાતા અને ધન્ય છે અરણિક મુનિને ! પુત્રની આધ્યાત્મિક પ્રગતિ ઇચ્છતી અને ભવભ્રમણમાંથી એને ઉગારવા ચાહતી માતાની ઉદાત્ત મહત્તાનાં દર્શન ભદ્રામાતાના ચરિત્રમાં થાય છે. અરણિકનાં માતા અને પિતાએ ભગવાનની વાણી સાંભળીને દીક્ષાનો નિર્ણય કર્યો. માતા-પિતા બંનેએ દીક્ષા લીધા બાદ પિતાએ પુત્ર અરણિકને દીક્ષા આપી. બાળ અરણિક મુનિ બન્યા, પરંતુ એના પિતા જ સંથારો પાથરવાનું કે ગોચરી વહોરી લાવવાનું કામ કરતા હતા. એમણે સંસાર છોડ્યો હતો, કિંતુ પુત્રમોહ ત્યજી શક્યા નહોતા. થોડા સમયે પિતા મુનિનો સ્વર્ગવાસ થતાં અરણિક મુનિને માથે ગોચરી વહોરવાની અને બીજાં ધર્મકાર્યોની જવાબદારી આવી. સાધુજીવનની કઠિનતાનો પ્રત્યક્ષ ખ્યાલ આવવા લાગ્યો. એક વાર ઉનાળાના દિવસે ધોમધખતા તાપમાં ખુલ્લા પગે અરણિક મુનિ જઈ રહ્યા હતા. ધરતી આગ ઓકતી હતી. આથી મુનિ જરા વિસામો લેવા માટે એક હવેલીના ઝરૂ ખા નીચે શીળો છાંયડો જોઈને ઊભા રહ્યા. મનોમન સાધુજીવનની કપરી સ્થિતિનો વિચાર કરતા હતા. એમ પણ થતું હતું કે આવું કપરું મુનિપણું જાળવી શકીશ ખરો ? આ સમયે હવેલીના ઝરૂખામાં ઊભેલી શ્રેષ્ઠીની માનુનીએ મુનિરાજને જોયા. મુનિની સોહામણી કાયા, તેજસ્વી ચહેરો અને સુદઢ બાંધો જોઈને એ માનુનીના ચિત્તમાં મોહવિકાર જાગ્યો. એની યુવાનીનો રંગ આ મુનિનો સંગ ઇચ્છવા લાગ્યો. માનુનીએ દાસીને બોલાવીને મુનિને પોતાનું આંગણું પાલન કરવા વિનંતી કરવાનું કહ્યું. એણે કહ્યું, “મુનિરાજ, મારી હવેલીમાં પધારો અને મોદક ગ્રહણ કરો.” મુનિ અરણિક થાક્યા હતા. ધોમધખતો તાપ શરીરને દઝાડતો હતો. સંયમનો આવો ભાર ખેંચી શકાશે નહીં, એમ વિચારતા હતા. એવામાં આવું નિમંત્રણ આવતાં જોઈતું હતું અને વૈદે કહ્યા જેવું થયું. સુંદરીએ ઘીથી લદબદતા મોદકનું ભોજન કરાવ્યું. મુનિ મોહબંધનમાં ફસાયા અને એના આવાસમાં જ રહી ગયા. દીક્ષાનું મહાવ્રત ત્યાગીને મુનિ સંસારી બની ગયા.. જીવનમાં ચોમેર ભોગવિલાસની છોળો ઊડતી હતી. અરણિકની આંખો અને મન બંને એનાથી ઘેરાઈ ગયાં. બીજી બાજુ દીક્ષા ધારણ કરનારી અરણિકની માતા સાધ્વી ભદ્રાને આ આઘાતજનક સમાચાર મળ્યા, ત્યારે એના હૃદયમાં વલોપાતનો સાગર ઊમટઢ્યો. પોતાનો પુત્ર સંયમનો સાધનાભર્યો માર્ગ ત્યજીને મોહની મહા ગર્તામાં ડૂબે તે માતાનું હૃદય કઈ રીતે સહી શકે ? આથી સાધ્વી ભદ્રા અરણિકને શોધવા નીકળે છે. નગર-નગર અને ગામે-ગામ ફરે છે ! ભટકે છે. એ બૂમો પાડે છે, “ઓ મારા અરણિક ! તું ક્યાં છે? શાને કાજે તેં દીક્ષા છોડી દીધી ? એવું તે શું બન્યું કે તે મારી કૂખ લજવી ?” આમ ઠેર ઠેર ફરીને બુમો પાડતી વૃદ્ધ સાધ્વીને પાગલ સમજીને લોકોનું ટોળું એની પાછળ દોડવા લાગ્યું. કે કાંકરા મારે તો કોઈ એની હસી-મજાક ઉડાવે. એક દિવસ ઝરૂખામાં ઊભેલા અણિકે વૃદ્ધ માતાના આત પોકારો સાંભળ્યા અને એનું હૈયું પીગળી ગયું. હવેલીમાંથી દોડીને અરણિક નીચે આવીને માતાના પગમાં પડ્યા. માતાએ કહ્યું, “અરે પુત્ર ! તારી આ દશા ! તેં મારી ફુખ લજવી. દીક્ષા છોડીને સંસારમાં ફસાયો. કોણે તને લોભાવ્યો ?” અરણિકે કહ્યું, “માતા ! આ સાધનાનો માર્ગ અતિ કઠિન છે. ખાંડાની ધારે જીવન ગુજારવા જેવું છે. આવો સંયમ હું પાળી શકું તેમ નથી.” - સાધ્વી ભદ્રાએ સમજાવ્યું કે ભવોભવના ભ્રમણમાંથી છૂટવા માટેનો આ એક માત્ર માર્ગ છે. ભવસાગરને તરી જવાનો આ જ સાચો ઉપાય છે. માટે ફરીથી સંયમ ધારણ કરીને તેજસ્વી સાધુતા પાળી બતાવ. અરણિકે કહ્યું કે તે એક જ શરતે દીક્ષા લેવા તૈયાર છે અને તે એ કે દીક્ષા લીધા પછી અનશન કરીને પ્રાણ ત્યાગશે. માતાને માટે પુત્રના પ્રાણત્યાગથી બીજો કયો વજાઘાત હોય ? સાધ્વી ભદ્રાને માટે પ્રાણત્યાગ કરતાં પણ દીક્ષાત્યાગ વધુ અનિષ્ટકારક હતો, આથી માતાએ કહ્યું, “સંસાર ભોગવીને ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તેને બદલે તું દીક્ષા લઈને પ્રાણત્યાગ કરે તે વધુ ઉચિત છે.” અરણિકે ફરી દીક્ષા લીધી. અનશન કરીને સાધુ અરણિક પ્રાણત્યાગ કર્યા બાદ કાળક્રમે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ધર્મસ્નેહસૌજન્ય પ. પૂ. મુનિ શ્રી રાજચંદ્રવિજયજી ગણિ મ.ના ઉપદેશથી ચિ, આકાશ વિજયકુમાર શાહ, વાર્તા - મુંબઈ Redentohet For la Pelle www.alhalibrary ang
SR No.004560
Book TitleJinshasanni Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1998
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy