________________
૨૭. સનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિ
નૈષ્ઠિક બ્રહ્મચર્ય, તેજસ્વી તપોબળ, પ્રબળ આત્મબળ, નૈસર્ગિક બુદ્ધિ-પ્રતિભા અને સાત્ત્વિક પ્રભાવશીલતા ધરાવતા આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી વીસમી સદીના સૌથી સમર્થ સૂરિચક્રવર્તીનું બિરુદ પામ્યા હતા. આ યુગસર્જક આચાર્યશ્રીએ સંયમજીવનના પ્રારંભે જ જીવનધ્યેયો નક્કી કર્યા હતાં. તેઓનું પ્રથમ જીવનધ્યેય હતું જ્ઞાનવૃદ્ધિ અને જ્ઞાનોદ્ધાર, ધર્મશાસ્ત્રોનું ગ્રંથસંરક્ષણ, ગ્રંથલેખન અને પ્રકાશનની સાથોસાથ એમણે અમૂલ્ય ધર્મગ્રંથો ધરાવતા જ્ઞાનભંડારોની જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું. તેઓની પ્રેરણાથી જૈન સમુદાયમાં સર્વપ્રથમ જૈન સાહિત્યના પ્રકાશનનો પુનિત પ્રારંભ પણ વિશેષરૂપે થયો. એમનું બીજું ધ્યેય હતું જ્ઞાન અને ગુણસંપન્ન તેજસ્વી શિષ્યપરંપરા સર્જવાનું. પરિણામે તેઓએ અનેક બહુશ્રુત આચાર્યો અને વિદ્વાન મુનિવરોની ભવ્ય પરંપરા શાસનને સમર્પી હતી. હજારો માઈલનો વિહાર કરીને પ્રાણની પણ પરવા કર્યા વિના હિંસક માનસ ધરાવતા માછીમારો અને અન્ય જાતિના લોકોને સદુપદેશ આપ્યો. એકવાર તેઓના ઉપદેશથી દાઠા ગામમાં માછીમારોએ માછલાં મારવાની હજારો જાળની હોળી કરીને જીવનભર માછીમારીનો ત્યાગ કર્યો હતો. દેવ-દેવીઓને મુંગા પશુઓનો ભોગ ચડાવવાની પ્રથા બંધ કરાવી અને પાંજરાપોળની પ્રવૃત્તિમાં પ્રાણ પૂર્યો. વિ. સં. ૧૯૮૩માં ગુજરાતમાં જળપ્રલય થયો ત્યારે શ્રાવકોને પ્રેરણા આપીને દુઃખી અને પીડિતોને કાજે વિશાળ ફંડ કરાવ્યું. વળી દુષ્કાળ, જળપ્રલય અને રોગોના ઉપદ્રવ સામે અથવા તો શ્રાવકક્ષેત્રના ઉદ્ધાર માટે અન્નદાન અને ગુપ્તદાન અપાવવાની એમની શક્તિ અજોડ હતી. એમનું એક લક્ષ તીર્થોદ્ધારનું હતું અને એમના રોમેરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ હતો. શ્રી કદમ્બગિરિ તીર્થ, શ્રી શેરીસા તીર્થ તેમજ માતર, રાણકપુર, થંભતીર્થ જેવાં અનેક તીર્થો અને કેટલાંય ગામોનાં જીર્ણ જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી શ્રી ગિરનાર તીર્થ અંગે જૂનાગઢના નવાબ સામે ચાલી રહેલા અદાલતી કેસમાં તેઓએ તીર્થરક્ષા કાજે અવર્ણનીય જહેમત ઉઠાવી હતી. શ્રી સમેતશિખરજી તીર્થ, શ્રી તારંગા તીર્થ, શ્રી અંતરીક્ષજી તીર્થ જેવાં તીર્થોની વિકટ સમસ્યા ઉકેલવા માટે એમણે સમગ્ર સમાજને વિવેકદૃષ્ટિ, ઊંડી સૂઝ અને જરૂર પડે સાહસનો સદુપદેશ આપ્યા હતા. એ સમયના ભાવનગર રાજ્યના મુત્સદ્દી દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાના પુત્ર અને અનુગામી દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને એમ કહ્યું હતું,
“તમને જ્યારે એવું લાગે કે આ કાર્ય અટપટું છે, બનવું મુશ્કેલ છે ત્યારે તમે કદંબગિરિવાળા મારા દાઢીવાળા ગુરુજી પાસે પહોંચી જજો અને એમના આશીર્વાદ મેળવી લેજો.”
- આ દાઢીવાળા ગુરુ એટલે શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી. એમના ગહન શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વ્યાખ્યાનશૈલી, કઠોર ધર્મર્યા અને જીવંત દીર્ઘદૃષ્ટિને કારણે તેઓ જૈન અને જૈનેતર - એમ સમગ્ર પ્રજાસમૂહમાં આદરણીય બન્યા હતા. દેશના પ્રખર પંડિત એવા શ્રી મદનમોહન માલવિયાજી પણ એમનો સત્સંગ કરીને ધન્યતા અનુભવતા હતા. રાજા, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ એમની વ્યાખ્યાનશૈલીથી અને એમના પ્રચંડ વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા. આટલી બધી કીર્તિ સાંપડી હોવા છતાં તેઓ અંતરથી નિઃસ્પૃહ અને આત્મલીન હતા.
વિ. સં. ૧૯૨૯ની કારતક સુદ ૧ ના રોજ મહુવામાં તેઓનો જન્મ થયો અને વિ. સં. ૨૦૦૬ના બેસતા વર્ષે મહુવામાં જ અંતિમ વિદાય લીધી. શનિવારે જન્મ અને શનિવારે પૂર્ણ દેહવિલય ! ૨૦ ઘડી ૧૨ પળે જન્મ અને બરાબર એ જ સમયે પૂર્ણવિલય. ૭૭ વર્ષના જીવનકાળમાં તેઓએ એવાં કાર્યો કર્યા કે એ સમયગાળાને શાસનસમ્રાટ નેમિસુરિયુગ તરીકે ઓળખવામાં આવે છે.
શાસનના સિંહ તરીકે વિખ્યાત એવા શ્રી વિજયનેમિસૂરિજીના આઠ પટ્ટશિષ્યો જુદી જુદી જ્ઞાનશાખાઓના પ્રકાંડ અને સંઘમાન્ય વિદ્વાન આચાર્યા હતા. તેઓએ માત્ર જૈન સમાજની જ નહીં, બલ્ક ભારતીય સમાજ અને સંસ્કૃતિની સેવા કરી. આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનાં પુનઃસ્થાપનમાં અમૂલ્ય પ્રદાન કરનારા આચાર્ય તરીકે તેઓ અગ્રિમ પંક્તિમાં બિરાજે છે.
ધર્મસ્નેહસૌજન્ય સા. શ્રી પદ્માશ્રી, પ્રમોદશ્રીની સ્મૃતિમાં, સા. ચંદ્રપ્રભાશ્રીનો ભક્તવર્ગ, સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રી, શશીપ્રભાશ્રીના ઉપદેશથી ગુણાનુરાગી ભક્તો. શ્રી સૂર્યકાંતભાઈ ચીનુભાઈ શાહ, હ. ચંદ્રકાંતભાઈ, અમદાવાદ, શ્રી મૂલચંદભાઈ માલાભાઈ, હ, ચુનીલાલ મૂલચંદ (મહુવાવાળા), મુંબઈ
(
)
)
2
-
{
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org