SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. શ્રી પાદલિપ્તસૂરિ સાધનાના બળે સર્જાતા ચમત્કાર અને કલ્પનાના બળે રચાતી કતિઓનો વિરલ સંગમ જોવા મળશે આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના જીવનમાં. માત્ર આઠ વર્ષની વયે વિદ્યાધર ગચ્છના આચાર્ય નાગહસ્તિ પાસે દીક્ષા લઈને મુનિ નાગેન્દ્ર બન્યા. એકવાર મુનિ નાગેન્દ્ર ગોચરી વહોરવા ગયા હતા. ઉપાશ્રયમાં પાછા આવી ઇરિયાવહિય આલોચના કર્યા બાદ ગુરુની સમક્ષ એક શ્લોક બોલ્યા જેનો અર્થ હતો, “તાંબાના જેવા રક્ત નેત્રવાળી, પુષ્પસરખા દાંતની પંક્તિવાળી, નવી પરણેલી યુવાન સ્ત્રીએ માટીમય પાત્રમાંથી આ કાંજીનું પાણી આપ્યું.” | ગુરુ મહારાજે આવું શૃંગારપૂર્ણ વર્ણન સાંભળીને શિષ્ય પર ક્રોધાયમાન થઈને કહ્યું કે “પત્તિતોડજિ” અર્થાત્ “તું રાગરૂપી અગ્નિથી પ્રદીપ્ત થયેલો છે.” હાજરજવાબી મુનિ નાગેન્દ્ર નમ્ર બનીને ગુરુને કહ્યું, “પલિતમાં એક માત્રા વધારીને મને પાલિત બનાવવાની કપા કરો.” આનો અર્થ એ હતો કે મને આકાશગમન કરી શકાય તેવી પાદલિપ્ત વિદ્યાનું દાન કરો જેથી હું પાદલિપ્ત કહેવાઉં. મુનિ નાગેન્દ્રની વિચક્ષણ બુદ્ધિ જોઈને આચાર્યે “પાદલિપ્તો ભવ” એવા આશીર્વાદ આપ્યા, ત્યારથી મુનિ નાગેન્દ્રનું નામ પાદલિપ્ત તરીકે પ્રસિદ્ધ થયું અને સાથોસાથ પગમાં લેપ કરવાથી ઊડવાની ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ. પોતાની આ શક્તિથી તેઓ રોજ શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર અને મથુરા આ પાંચ તીર્થોની યાત્રા કર્યા બાદ જ આહારપાણી ગ્રહણ કરતા હતા. એમણે જીવાજીવોત્પતિ પ્રાભૃત, વિદ્યાપ્રાકૃત, સિદ્ધ પ્રાકૃત અને નિમિત્ત પ્રાભૂત એવી અન્ય ચાર સિદ્ધ વિદ્યાઓ મેળવી હતી. એકવાર નાગાર્જુન નામના સિદ્ધ યોગીએ પથ્થર કે લોખંડને સુવર્ણ બનાવતા કોટિવેદ રસનું પાત્ર પોતાના એક શિષ્ય સાથે મોકલાવ્યું. આચાર્ય પાદલિપ્તસૂરિએ કહ્યું કે સાધુ માટે તો સુવર્ણ અને કાંકરા બંને સમાન હોય છે. મારે આની જરૂર નથી. આથી નાગાર્જુન ગુસ્સે થયો, પરંતુ પાદલિપ્તાચાર્યે સ્પર્શ અને મૂત્રાદિથી સુવર્ણશિલા બનાવી દીધી. પરિણામે નાગાર્જુનનો ગર્વ ગળી ગયો અને એમની સાથે રહેવા લાગ્યા. પાદલિપ્તાચાર્ય પાસેથી એમણે આકાશગામિની વિદ્યા મેળવી. નાગાર્જુને આચાર્યશ્રીને વિનંતી કરી કે મને કંઈ કામસેવા ફરમાવો, ત્યારે પાદલિપ્તાચાર્યે કહ્યું કે “તું જીવનભર જૈન ધર્મ પાળીને આત્મકલ્યાણ સાધ.” નાગાર્જુને જીવનભર જૈન ધર્મનું યોગ્ય રીતે પાલન કર્યું. એણે શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં પાદલિપ્તપુર નામનું ર વસાવ્યું. આજે એ પાલીતાણા તરીકે ઓળખાય છે. કોઈ જૈન આચાર્યના નામ પરથી કોઈ નગરનું નામ પડ્યું હોય તેનું આ વિરલ દ્રષ્ટાંત છે. | નાગાર્જુને ગિરિરાજ પર જિનમંદિર બનાવ્યું તેમાં આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીના હાથે અનેક જિનબિંબો સ્થાપ્યા. વળી આચાર્યશ્રીની મૂર્તિ પણ સ્થાપી. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિએ “તરંગવતી” નામની વિશ્વના કથાસાહિત્યમાં આગવું સ્થાન ધરાવતી પ્રાકૃત મહાકાવ્યની રચના કરી. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ ‘નિર્વાણકલિકા', ‘પ્રશનપ્રકાશ', ‘કાલજ્ઞાન’, જ્યોતિષ કરંડક 'ની ટીકા, ‘તરંગલીલાકથા’ અને ‘વીરસ્તુતિ' જેવી કૃતિઓની રચના કરી હતી, શ્રી શત્રુંજય તીર્થ પર બત્રીસ દિવસનું અનશન કરીને આ પાદલિપ્તસૂરિ કાળધર્મ પામ્યા હતા. આ રીતે ઉત્કૃષ્ટ સાહિત્ય, પ્રભાવક પ્રતિબોધ અને વિસ્મયજનક સિદ્ધિઓ ધરાવતા શ્રી પાદલિપ્તસૂરિજીએ જિનશાસનની યશસ્વી સેવા કરી. ધર્મસ્નેહસૌજન્ય સાંકળીબહેન ચુનીલાલ દામજી શેઠ, પાલિતાણાવાળા પરિવાર, હ, પુત્રો કાંતિભાઈ (કે. સી. શેઠ), હિમ્મતભાઈ, મહેન્દ્રભાઈ, ગુણવંતીબહેન, ઇંદુમતીબહેન, દમયંતીબહેન, ભાવેશ, રાજેષ, ' જયેશ, જસ્મિન, દીપેશ, જાગૃતિ, હેમાલી, મોસમી, ઘાટકોપર, મુંબઈ 6 ( Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004560
Book TitleJinshasanni Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1998
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy