________________
૮. શ્રી ભદ્રબાહુસ્વામી
જિનશાસનને સફળ નેતૃત્વ તેમજ શ્રુતજ્ઞાનની અમૂલ્ય સંપત્તિ અર્પનાર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી ભગવાન મહાવીરના સાતમા પટ્ટધર હતા. યશસ્વી આચાર્ય યશોભદ્રના આ શિષ્ય ચૌદ પૂર્વોના જ્ઞાતા હતા. એમનો જન્મ વીર નિર્વાણ સંવત ૯૪માં થયો. પિસ્તાળીસ વર્ષની વયે સંયમ લીધો અને આચાર્ય સંભૂતિવિજયજી પછી વી. નિ. સં. ૧૫૬માં એમને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ચૌદ વર્ષ સુધી જિનશાસનના યુગપ્રધાનપદને એમણે સંભાળ્યું અને શોભાવ્યું. શ્રુતકેવલી આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી વી. નિ. સં. ૧૭માં ૭૬ વર્ષની વયે કાળધર્મ પામ્યા. અર્થવાચનાની દૃષ્ટિએ આચાર્ય ભદ્રબાહુની સાથે શ્રુતકેવલીનો વિચ્છેદ થયો.
શ્રી ભદ્રબાહુસ્વામીનો જન્મ પ્રતિષ્ઠાનપુર નગરમાં થયો હતો. વરાહમિહિર અને ભદ્રબાહુ એ બંને ભાઈઓ ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. શ્રુતકેવલી શ્રી યશોભદ્રસૂરિજીનો મેળાપ થતાં બંનેએ દીક્ષા લીધી, કિંતુ ચૌદ પૂર્વનું જ્ઞાન અને આચાર્યપદ અર્પણ કરવામાં ભદ્રબાહુ વિશેષ યોગ્ય લાગતાં ગુરુએ તેમને ઉત્તરાધિકારી બનાવ્યા. આથી છંછેડાયેલા વરાહમિહિરે ગુસ્સે થઈને દીક્ષા છોડી દીધી. આ સમયે રાજાને ત્યાં પુત્રજન્મનો પ્રસંગ આવતાં બાળક એક સો વર્ષનો થશે એવું વરાહમિહિરે ભવિષ્ય ભાખ્યું. જ્યારે એ જ નગરમાં રહેલા સંઘનાયક ભદ્રબાહુસ્વામી વધામણી આપવા આવ્યા નહીં, તેથી તક ઝડપીને વરાહમિહિરે રાજા અને પ્રજાના ભદ્રબાહુસ્વામીની વિરુદ્ધમાં કાન ભંભેર્યાં. આ અંગે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે આજથી સાતમા દિવસે બાળકનું બિલાડીના કારણે અવસાન થવાનું છે, ત્યારે રાજાને સાંત્વન આપવા જઈશ. વરાહમિહિરના ભવિષ્યકથનમાં વિશ્વાસ હોવા છતાં રાજાએ તમામ બિલાડીઓને પકડી પકડીને નગર બહાર જંગલમાં હાંકી કાઢી. બાળકુમારની આસપાસ ચોકી-પહેરો ગોઠવ્યો. બન્યું એવું કે બિલાડીના મહોરાવાળો આગળો બાળકના માથા પર પડતાં બાળકનું મૃત્યુ થયું. આ આઘાતજનક પ્રસંગે ભદ્રબાહુસ્વામી આશ્વાસન આપવા ગયા ત્યારે રાજાએ તેમને અદકેરું માન આપ્યું. પોતાની ચાલમાં નિષ્ફળ જતાં ક્રોધ અને દ્વેષથી ઘેરાયેલો વરાહમિહિર પછીના જન્મે વ્યંતરદેવ બન્યો અને પોતાના જ્ઞાનથી પૂર્વજન્મ જાણતાં જ જૈન સંઘ તરફ દ્વેષની આગ ભભૂકી ઊઠી. એણે શ્રીસંઘમાં મહામારીનો ઉપદ્રવ ફેલાવ્યો અને અસંખ્ય લોકો ટપોટપ મરવા લાગ્યા. શ્રીસંઘે ભદ્રબાહુસ્વામીને વિનંતી કરતાં એમણે શ્રુતજ્ઞાનથી સઘળી હકીકત જાણી અને ઉપદ્રવ ટાળવા માટે “ઉવસગ્ગહરં સ્તોત્રની રચના કરી. આ મહાન સ્તોત્રની શક્તિના પ્રભાવે વ્યંતરની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ‘કલ્પસૂત્ર’ના નામથી અતિ પ્રસિદ્ધ “પર્યુષણ કલ્પસૂત્ર”ની આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ રચના કરી. એક માન્યતા અનુસાર એમણે દસ સૂત્રો પર નિર્યુક્તિ લખી. આ રીતે જિનશાસનના આ મહાન પ્રભાવક આચાર્યે શાસનનો અને શ્રુતનો
એમ બંનેનો અપાર મહિમા કર્યો.
આચાર્ય ભદ્રબાહુસ્વામીએ દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર અને નિશીથ એમ ચાર છેત્રોની રચના કરી મુમુક્ષુ સાધકો પર મહાન ઉપકાર કર્યો. આચારાંગ, સૂત્રકૃતાંગ, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશાશ્રુતસ્કન્ધ, કલ્પ, વ્યવહાર, સૂર્યપ્રજ્ઞપ્તિ અને ઋષિભાષિત – આ દસ સૂત્રોના નિર્યુક્તિકાર તરીકે પ્રસિદ્ધ આચાર્ય ભદ્રબાહુએ ‘ભદ્રબાહુ સંહિતા’ તથા સવા લાખ પદ ધરાવતું ‘વસુદેવચરિત’ નામનો ગ્રંથ લખ્યો અને એ જ રીતે એમણે આર્ય સ્થૂલભદ્રને પૂર્વોનું જ્ઞાન આપીને એ મહાન વારસાને નષ્ટ થતો બચાવ્યો હતો. તેઓએ સતત બાર વર્ષ સુધી મહાપ્રાણ-ધ્યાનની ઉત્કટ યોગસાધના કરવાની વિરલ ઉપલબ્ધિ મેળવી હતી. ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરીને જિનશાસનનો પ્રસાર અને ઉત્કર્ષ કરનાર ભદ્રબાહુસ્વામીને શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરા પાંચમા અને અંતિમ શ્રુતકેવલી તરીકે આદરપૂર્વક સન્માને છે.
ધર્મસ્નેહસૌજન્ય
Jain Education International
શ્રી હરિભાઈ આત્મારામ; હ. રજનીભાઈ, મહેન્દ્રભાઈ, ભરતભાઈ, અમદાવાદ. શ્રી ચંદુભાઈ કુંવરજી છગનલાલ દૂધવાળા, સાયન, મુંબઈ. શ્રી નવીનચંદ્ર રાજપાલ મહેતા, પાર્લા, મુંબઈ. શ્રી હર્ષદરાય ત્ર્યંબકલાલ મહેતા, કપડવંજવાળા, હ. નીતિનભાઈ, મુંબઈ.
For Private & Personal Use Only
www.jainellbrary.org