SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ N ૬૬. ભીમ કુંડલિયો ભગવાન તો ભક્તની ભાવનાના ભૂખ્યાં છે. હૃદયમાં ધર્મના સાચા સ્નેહ વિના કરોડોનું દાન કરનાર કરતાં સાચી ભાવનાથી એક કોડીનું દાન કરનાર મહાન છે. જૈનદર્શને પ્રત્યેક ધર્મઆચરણમાં દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ દર્શાવ્યા છે. ભાવનાશૂન્ય હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે દ્રવ્ય, ભાવનાપૂર્ણ હૃદયથી કરવામાં આવતી ક્રિયા તે ભાવ. ભીમ કુંડલિયોનું જીવન હૃદયની સાચી ધર્મભાવનાનું મહિમાગાન કરે છે. | વિ. સં. ૧૨ ૧૩માં શ્રી શત્રુંજય તીર્થના મૂળ જિનાલયનો મહામાત્ય વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિષ્ઠાનો બરાબર રંગ જામ્યો હતો. આ પ્રતિષ્ઠામાં ટીમાણાનો અતિ ગરીબ ચીંથરેહાલ જૈન ભીમ પણ આવ્યો હતો. તે કુંડલાના ઘીનો વેપારી હતો. તેણે પોતાના ગામથી છ દ્રમ્મનું ઘી લાવીને સંઘમાં ફેરી કરી. આને પરિણામે એને એક રૂપિયો અને સાત દ્રમ્મની કમાણી થઈ. આમાંથી એક રૂપિયાનાં ફૂલ ખરીદીને એણે પ્રભુપૂજા કરી. આવો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાવનાર મહામાત્ય વાહડનાં દર્શન કરવાની ભાવનાથી ભીમ મંત્રીરાજના તંબુ પાસે આવ્યો. નિર્ધનતાથી ઘેરાયેલા ભીમને મંત્રીને મળતાં સંકોચ થતો હતો. મંત્રી માનવપારખુ હતા. એમણે આ ગરીબ ભીમને પોતાની પાસે અર્ધઆસન પર બેસાડ્યો. એના જીવનનો ઇતિહાસ જાણી લીધો. મંત્રી વાહડે ભાવથી કહ્યું, “ભીમ, તું મારો સાધર્મિક ભાઈ છે. મારે યોગ્ય કંઈ કામ હોય તો જરૂર કહેજે.” આ સમયે તીર્થોદ્ધારના વહીવટદારો તીર્થોદ્ધારની રકમ પૂરી કરવા ટિપ કરતા હતા. તેઓ ભીમ પાસે આવ્યા. એની પાસે સાત દ્રમ્ય હતા. એ સઘળી મૂડી એણે ટિપમાં આપી દીધી. કેવો વિરલ ત્યાગ ! કેવી અનુપમ ભાવના ! કેવી ભવ્ય ધર્મપ્રીતિ ! મહામાત્ય વાહડ આ ગરીબ માનવીનો વિરાટ ત્યાગ જોઈને પ્રસન્ન થઈ ગયો. ટિપની યાદીમાં એમણે ભીમ કુંડલિયોનું નામ પહેલું લખાવ્યું. સાથે શ્રેષ્ઠીઓને કહ્યું પણ ખરું, “જુઓ, આનું નામ ત્યાગ ! છ દ્રમ્મના ઘીમાંથી એક રૂપિયા અને સાત (ાણી કરી. રૂપિયાનાં પુષ્પોથી પ્રભુપૂજા કરી, બાકીના સાત દ્રમ્મ ટિપમાં લખાવ્યા. એને આજની પ્રભુભક્તિમાં રસ છે. કાલની કશી ફિકર નથી. ધર્મકાર્ય પ્રત્યે એનો ધર્મસ્નેહ તો જુઓ !” વાહડ મંત્રીએ ભીમ કુંડલિયોને ત્રણ રેશમી વસ્ત્રો અને પાંચસો દ્રમ્મની ભેટ આપી. ભીમે હસીને કહ્યું, “મંત્રીશ્વર, આ નાશવંત સંપત્તિના લોભમાં હું મારું પુણ્ય વેચી ન શકું. તમે પૂર્વભવમાં આવું પુણ્ય કર્યું તેથી આજે આવી સ્થિતિમાં છો. તો પછી મારું સંચિત પુણ્ય શી રીતે આપી શકું ? આ તો છેતરામણી કયો જેવું કહેવાય.” મંત્રી વાહડ આવાં વચનો સાંભળી ખૂબ પ્રસન્ન થયા. એણે પાનનું બીડું આપીને ભીમનું સન્માન કર્યું. ભીમ કુંડલિયો ઘેર આવ્યો તો રોજ એનો હિસાબ લેનારી કર્કશા નારીએ કશું ન પૂછવું. બન્યું હતું એવું કે એના ઘરની ગમાણમાં ગાય બાંધવાનો ખીલો કાઢીને બરાબર નાખવા જતાં એને ચાર હજાર સોનામહોર મળી હતી. પોતાની આ વાત અતિ હર્ષભેર ભીમ કુંડલિયોને કહી. ભીમ કુંડલિયોએ કહ્યું, “આ તો મારી પ્રભુપૂજાનું ફળ છે. આ રકમ તો આપણે તીર્થમાં વાપરવી જોઈએ.” બીજે દિવસે સંઘમાં આવીને મંત્રી વાહડને આ રકમ આપી તો મંત્રીએ આ રકમ લેવાનો સાફ ઇન્કાર કર્યો. ભીમ કુંડલિયોએ કહ્યું, - “મંત્રીશ્વર, મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને મારે વિના કારણે કોઈ ક્લેશ નથી વહોરવો.” આમ છતાં મંત્રી વાહડે રકમ સ્વીકારી નહીં. છેક રાત સુધી બંને વચ્ચે રકઝક ચાલી. રાત્રે કપર્દી યક્ષે કહ્યું, “તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થઈને આ ધન આપ્યું છે. એનો તારે માટે અને દાન કાજે ઉપયોગ કર. હવે સમૃદ્ધિ સદાય તારી સાથે રહેશે.” બીજે દિવસે ભીમ કુંડલિયોએ ભગવાન ઋષભદેવની સુવર્ણરત્નો અને પુષ્પો વડે લાખેણી પૂજા કરી. કપર્દી યક્ષની પણ પૂજા કરી. એનો ભંડાર છલોછલ ભરાયેલો રહ્યો. આ ભીમ કુંડલિયોએ શ્રી શત્રુંજય મહાતીર્થ પર ભીમકુંડ બંધાવ્યો. | ધર્મસ્નેહસૌજન્ય સ્વ. બાલચંદ ધુલચંદ મહેતા જાવરા(મ. પ્ર.)વાળાના આત્મશ્રેયાર્થે શ્રી પ્રકાશચંદ્ર બાલચંદ મહેતા પરિવાર, અમદાવાદ છે. Jain Education like www.jainelibrary.org
SR No.004560
Book TitleJinshasanni Kirtigatha
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year1998
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy