________________
૪૮. સાધ્વી યાકિની મહત્તરા ક્ષમાં સર્વ ગુણોની ખાણ છે. ક્ષમા ઉદાર હૃદયનું પ્રબળ શૌર્ય માગતી હોવાથી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેવાય છે. આવી ક્ષમાને જૈનદર્શન દુર્ગતિનું હરણ કરનારી, રત્નત્રયીને પ્રાપ્ત કરાવનારી, જન્મ-મરણરૂપ સંસારસમુદ્રને તારનારી અને ત્રણે લોકમાં સારરૂપ કહે છે. આવી ઉત્તમ ક્ષમાને જાગ્રત કરવાનું કાર્ય યાકિની મહત્તરાએ કર્યું હતું.
આચાર્ય હરિભદ્રસૂરિજીના હંસ અને પરમહંસ નામના બે શિષ્યોની અન્ય ધર્મીઓને હાથે હત્યા થઈ. આનાથી આચાર્યશ્રીનું હૃદય ખળભળી ઊઠયું. પોતાના પ્રિય શિષ્યની ક્રૂર હત્યાનો આઘાત એમના દિલમાં બદલાની આગ જગાવી ગયો. આચાર્યશ્રીએ બૌદ્ધ વિહારમાં અભ્યાસ કરતા ૧૪૪૪ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઊકળતા તેલની કડાઈમાં જીવતા ભુંજી નાખવાનો વિચાર કર્યો. ક્રોધ વિવેકને ભગાડે છે. આચાર્યશ્રીનું ક્રોધનું બીજ વેરનું વટવૃક્ષ બની ગયું. વેરની વસૂલાત માટે આચાર્યશ્રીએ ઉપાશ્રયના દરવાજા બંધ કર્યા. મોટી ભઠ્ઠી સળગાવી. એના પર કડાઈમાં તેલ નાખ્યું અને પછી પોતાના મંત્રબળે એ અધ્યાપકો અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરીને આકાશમાં ઊભા રાખ્યા, ક્રોધાયમાન આચાર્યશ્રીનો ઇરાદો તો એક પછી એક વિદ્યાર્થી અને અધ્યાપકને મંત્રબળે બોલાવીને જીવતા ઊકળતા તેલની કડાઈમાં નાખવાનો હતો.
- આચાર્યશ્રીના વેરની વાતની જાણ યાકિની મહત્તરાને થઈ. એક આચાર્યને હાથે આવો નૃશંસ હત્યાકાંડ ! યાકિની મહત્તરા વેગે ચાલીને ઉપાશ્રયમાં આવ્યાં. ઉપાશ્રયનાં દ્વાર બંધ હતાં. આચાર્ય હરિભદ્રસૂરિએ પોતાની માતા સમાન યાકિની મહત્તરાને કહ્યું, “હાલમાં મારી ક્રિયા ચાલે છે. થોડા સમય પછી આવજો.”
યાકિની મહત્તરાએ દઢ અવાજે કહ્યું, “મારે તમારું જરૂરી કામ છે. તત્કાળ દરવાજો ખોલો.”
દરવાજો ખૂલ્યો. યાકિની મહત્તરાએ વિનયપૂર્વક આચાર્યશ્રીને વંદન કર્યા અને પછી કહ્યું, “આચાર્યશ્રી, આપની પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવી છું. મને આપ પ્રાયશ્ચિત્ત આપો.”
પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્રસૂરિ પોતાની જાતને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવતા હતા, કારણ કે એ જ યાકિની મહત્તરાનો એક શ્લોક તેઓ સમજી શક્યા નહીં અને એમનો વિદ્વત્તાનો અહંકાર ખંડિત થયો હતો. અંતે વિદ્વત્તામાં પરાજિત થતાં રાજપુરોહિત વિદ્વાન હરિભદ્ર જિનદત્તસૂરિજી પાસે દીક્ષા લીધી. પોતાને યોગ્ય માર્ગ દર્શાવનાર યાકિનીને આચાર્ય હરિભદ્રસૂરિ માતા ગણતા હતા. આવી માતા સમાન સાધ્વી સામે ચાલીને શેનું પ્રાયશ્ચિત્ત લેવા આવી છે તે જાણવાની શ્રી હરિભદ્રસૂરિને જિજ્ઞાસા જાગી.
યાકિની મહત્તરાએ કહ્યું કે અજાણતાં ચાલતાં-ચાલતાં એમના પગ નીચે એક દેડકો દબાઈ ગયો. એક પંચેન્દ્રિય જીવની હિંસાથી એમનો આત્મા અપાર વેદના અનુભવે છે. આ હિંસાનું પ્રાયશ્ચિત્ત ચાહે છે, કારણ કે જો આલોયણા કર્યા વિના કદાચ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તો વિરાધક બની જાય.
આચાર્ય હરિભદ્રસૂરિએ જરા ઊંચા અવાજે કહ્યું, “ઓહ ! તમે પંચેન્દ્રિય જીવનું ધ્યાન રાખી શક્યા નહિ ? એનું તમારે પ્રાયશ્ચિત્ત કરવું જ પડશે.”
- યાકિની મહત્તરાએ પ્રાયશ્ચિત્તનો વિનયપૂર્વક સ્વીકાર કરીને કહ્યું, “મારાથી અજાણતાં થયેલા એક તિર્યંચ પંચેન્દ્રિય જીવની (દેડકાની) હિંસાનું પ્રાયશ્ચિત્ત તો મને મળ્યું, પરંતુ તમે ૧૪૪૪ મનુષ્યોની જાણી-જોઈને હિંસા કરી રહ્યા છો તેનું પ્રાયશ્ચિત્ત
શું થશે ?”
યાકિની મહત્તરાના આ શબ્દો સાંભળતાં જ આચાર્યશ્રી હરિભદ્રનો ક્રોધ શાંત થઈ ગયો. અધ્યાપકો અને વિદ્યાર્થીઓને મંત્રબળે બોલાવ્યા હતા, તેમને પાછા મોકલી આપ્યા.
- પોતાના દુષ્કૃત્ય કરવાનો વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે તેવા ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. ક્રોધ ક્ષમામાં ફેરવાયો. વેર વિદ્યામાં પલટાઈ ગયું.
ધર્મસ્નેહસૌજન્ય પૂ. મુનિ શ્રી શ્રુતચંદ્ર વિજ યજી મ.ના ઉપદે શથી કુ. ફાલ્યુની ભરતભાઈ, ડેટ્રોઈટ – મીશીગન - યુ.એસ.એ.
Education interna
Fer Private & Personal use only
www.la melibrary.org