________________
43
આભામંડળ અને લેરયા
જેનદર્શન અનુસાર આભામંડળ અર્થાત્ આધુનિક વિજ્ઞાનની માન્યતા પ્રમાણેના જૈવિક વીજ-ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ તૈજસ્ તથા કાર્મણ શરીરના આધારે થાય છે. ખરેખર તો આભામંડળ એ તૈજસું શરીર જ હોવાની સંભાવના છે, જેનો આધાર કાર્મણ શરીર છે. દરેક સંસારી/કર્મ સહિતના જીવને તૈજસુ અને કાશ્મણ એ બે શરીર તો અવશ્ય હોય છે જ. આ બે શરીર વગરનો કોઈપણ જીવ હોતો નથી. દેવો અને નારકના જીવોને આ બે શરીરની સાથે ત્રીજું વૈક્રિય શરીર (desire body) હોય છે. જ્યારે તે સિવાયના પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ - પશુ-પક્ષીઓ, જળચર જીવો અને મનુષ્યોને તૈજસુ અને કાશ્મણ શરીરની સાથે
સ્થૂલ દારિક શરીર હોય છે, જેને આધુનિક વિજ્ઞાન ભૌતિક/પાર્થિવ શરીર (physical body) કહે છે.
આ તૈજસ્ શરીર તૈજસુ વર્ગણાના પુદ્ગલ પરમાણુ સમૂહ એકમો દ્વારા બનેલ હોય છે અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલ પરમાણુનું લક્ષણ અર્થાત્ ગુણધર્મ છે. તેથી તેમાં વર્ણ-રંગ તો હોવાનો જ, જે કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા લેવાયેલ છબીઓમાં પ્રત્યક્ષ થઈ શકે છે | થાય છે. જેમ દરેક વ્યક્તિનાં આંગળાંની છાપ (finger print) ભિન્ન ભિન્ન હોય છે તેમ દરેક વ્યક્તિનું આભામંડળ પણ એક બીજાથી તદ્દન ભિન્ન ભિન્ન હોય છે.
જૈન પરંપરામાં અને જૈન આગમોમાં લેશ્યાઓ અંગે ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવ્યો છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના-ઉપદેશ સ્વરૂપ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા શ્રી પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રમાં વેશ્યા સંબંધી એક એક અલગ અધ્યયન આપવામાં આવ્યું છે. તેમાં વર્ણવ્યા પ્રમાણે આ વેશ્યાઓના છ પ્રકાર છે. પ્રત્યેકનો ચોક્કસ રંગ પણ બતાવવામાં આવ્યો છે. અલબત્ત, એક જ રંગની લેશ્યાના રંગમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. લશ્યાના મુખ્ય છ પ્રકાર છે--
1. કૃષ્ણ લેશ્યા 2. નીલ વેશ્યા 3. કાપોત લેશ્યા 4. તેજો વેશ્યા 5. પા લેશ્યા 6. શુક્લ લેશ્યા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org