SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તે એક સુંદર પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયું હતું. તેનો મને અત્યંત આનંદ છે. પ્રથમવૃત્તિની બધી નકલો વેચાઈ ગઈ હોવાથી આ બીજી આવૃત્તિ કેટલાક વધારાના સંશોધન તથા આભામંડળના રંગીન ચિત્રો તથા તેના પૃથક્કરણ સહિત પ્રકાશિત કરવામાં આવે છે. અહીં એક સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ પુસ્તકમાં સૈદ્ધાત્તિક સંશોધન મારું છે પરંતુ પ્રાયોગિક સંશોધન (પરિશિષ્ટ) ડૉ. જે. એમ. શાહ, મુંબઈ તથા (પ્રકરણ નં. 8 અને 9) ડૉ. અમરેશભાઈ મહેતા, અમદાવાદવાળાનું છે. તેઓ 21 નવેમ્બર, 2005થી 26 નવેમ્બર, 2005 સુધી આંતરરાષ્ટ્રિય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા અમારી સંસ્થા દ્વારા સંયુક્તપણે આયોજિત આભામંડળ અંગેની કાર્યશાળા, પ્રસંગે પરિચયમાં આવેલ અને તે વખતે તેઓએ મારા આભામંડળના ફોટા લઈ પ્રાયોગિક નિદર્શન કરાવેલ. પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવેલ આભામંડળના 32 ચિત્રો તેમના લેપટોપમાંથી લેવામાં આવ્યા છે. મારા આ સંશોધન, સંપાદન તથા પ્રકાશનના અપૂર્વ કાર્યમાં સહકાર, સહાય તથા બળ આપનાર મારા શિષ્ય મુનિશ્રી જિનકીર્તિવિજયજી તથા સંસ્થાના કાર્યકર ટ્રસ્ટી ભાઈઓ ડો. દિવ્યેશભાઈ વી. શાહ, પ્રો. એચ. એફ. શાહ, શ્રી સુપ્રિમભાઈ પી. શાહ, શ્રી સંજયભાઈ બી. કોઠારી, શ્રી સ્નેહલભાઈ એ. શેઠ, શ્રી બી. એન. શાહ તથા પાણી અંગે સંશોધન કરનાર ડૉ. વિનોદભાઈ ડી. શાહ, મુંબઈ તથા શ્રી અક્ષય એ. ગાંધી, શ્રી સંજયભાઈ પી. શાહ (અમદાવાદ) તથા શ્રી પરેશભાઈ પી. શાહ, મુંબઈને તથા બીજી આવૃત્તિના છેલ્લા બે પ્રકરણને વ્યવસ્થિત કરી આપવા માટે કુ. નીલેશ્વરીબહેન કોઠારી(ઘાટકોપર, મુંબઈ)ને આ તકે યાદ કરું તો તે અનુચિત નહિ જ ગણાય. મારા આ કાર્યમાં પ. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ. પૂ. શાસનપ્રભાવક આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. વિદ્વદર્ય આ. શ્રીવિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. તથા મારા પરમ મિત્ર હિતેચ્છુ આત્મસાધક ૫. પૂ. વિદ્ધવર્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની સતત પ્રેરણા તથા માર્ગદર્શન મળતાં રહ્યાં છે અને આ કાર્યમાં સહકાર આપનાર સૌનો હું સદાય ઋણી છું. અંતમાં, શ્રી સર્વજ્ઞપ્રભુની વાણી વિરૂદ્ધ કાંઈ પણ નિરૂપણ થયું હોય તો તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ દઈ, વિરમું છું. –આ. વિજયનંદિઘોષસૂરિ વિ. સં. 2064, મહા વદ - 3, રવિવાર શ્રી અમૃતસરિ જૈન જ્ઞાનમંદિર, દોલતનગર, બોરીવલી (પૂર્વ), મુંબઈ - 400 066 . 13 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004556
Book TitleAbhamandal Jain Darshan tatha Prayogik Sanshodhan
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Astrology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy