SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલનું મતિજ્ઞાન–ઈન્દ્રિય અને મનની સહાયતાથી થનાર જ્ઞાન. મન:પર્યવ–મને વર્ગણ અનુસાર માનસિક અવસ્થાનું જ્ઞાન. મહાભદ્ર પ્રતિમા–ધ્યાનયુક્ત તપ કરવાને એક પ્રકાર. ચારેય દીક્ષામાં એક–એક અહોરાત્ર સુધી કાર્યોત્સર્ગ કર. મહાવ્રત–હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહને મન, વચન અને કાયાથી જીવન પર્યન્ત પરિત્યાગ કરે. પૂર્ણ ત્યાગ કરવાથી એ મહાવતી કહેવાય છે. મહાસિંહ નિષ્ક્રીડિત તપ-તપ કરવાનો એક વિશેષ પ્રકાર. સિંહ ગમન કરતી વખતે જેમ પાછલી બાજુ ફરીને જુએ છે તે પ્રણાણે તપ કરતાં આગળ વધવું અને તે સાથે પાછળ કરેલ તપ પણ કરવું. આ મહા અને લઘુ એમ બે પ્રકારનું હોય છે. આ ક્રમ પ્રમાણે એનાં વધુમાં વધુ સેલ દિવસનું તપ હોય છે અને પછી ક્રમશઃ એમાં ઊતરરતો કેમ હોય છે. આ સંપૂર્ણ તપમાં ૧ વર્ષ, ૬ મહિના અને ૧૮ દિવસ લાગે છે. આ તપની પણ ચાર પરિપાટી હોય છે. એને કેમ યંત્ર અનુસાર ચાલે છે. (જુઓ ચિત્ર) માંડલિક રાજા–એક મંડલ અધિપતિ રાજા. મિથ્યાત્વ—તત્વની પ્રતિ વિપરીત શ્રદ્ધા. મેરુપર્વતની ચૂલિકા–જબૂદ્વીપની મધ્યમાં એક લાખ જન સમુન્નત સુવર્ણ કાંતિવાળે પર્વત છે. આ પર્વત પર ચાલીસ જનની ચૂલિકા–શિખર છે. આ પર્વત પર ભદ્રશાલ, નંદન, સૌમનસ અને પાંડુક નામનાં ચાર વન છે. ભદ્રશાલ વન ધરતીની સમતલ પર્વતને ઘેરીને આવેલું છે. પાંચસે જન પર નંદનવન છે. બાસઠ હજાર પાંચસો રોજન પર સૌમનસ વન છે. ચૂલિકાની ચારે તરફ ફેલાયેલ પાંડુકવન છે. આ વનમાં સ્વર્ણમય ચાર શિલાઓ છે જેના પર તીર્થકરોને જન્મ–મહત્સવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy