SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશી જ પ્રાચીન ભયિા છે, કેટલાય વિદ્વાન મુંગરને ભયિાની જગ્યા માને છે. 20 લિનગ ભલિતગરી આ સમયે મલય દેશની રાજધાની હતી. આવશ્યક નિયુક્તિ વૃત્તિ પ્રમાણે ભગવાન મહાવીરે છદ્મસ્થ અવસ્થામાં અને એક ચાતુર્માસ કર્યો હતા. પટનાથી દક્ષિણમાં ૧૦૦ માઈલ અને નૈઋત્ય દક્ષિણમાં અઠ્ઠાવીસ માઈલના અંતરે ગયા જિલ્લામાં આવેલ હટરિયા અને દન્તારા ગામેની પાસે એ સમયે ભઘિલનગરી આવેલ હતી. ભાગપુર અત્રે મહિન્દ્ર ક્ષત્રિયે ભગવાન મહાવીર પર આક્રમણ કર્યું" હતું. આ ગામ સુસમાર અને નંદીગાંવની વચ્ચે આવેલું હતું. એ વધુ સંભવિત લાગે છે કે એ સ્થાન કેાશલ ભૂમિમાં હતુ. મગધ જૈન વાપ્મયમાં મગધનુ વર્ણન અનેક સ્થળે થયેલ છે. પ્રસ્તુત જનપદની સીમા ઉત્તરમાં ગંગા, દક્ષિણમાં શેણુ નદી, પૂર્વમાં અંગ અને પશ્ચિમમાં ગહન જગલા સુધી વિસ્તરેલી હતી. આ પ્રમાણે દક્ષિણુ બિહાર-મગધ જનપદ તરીકે પ્રખ્યાત હતા. એની રાજધાની ગિરિત્રજ યા રાજગૃહ હતી. મહાભારતમાં એનુ નામ કીટક પણ મળે છે. વાયુપુરાણ અનુસાર રાજગૃહ જ કીટક હતું. શક્તિ સંગમત ત્રમાં કાલેશ્વર-કાલભૈરવ વારાણસીથી તપ્તકુડ–સીતાકુ'ડ મુંગેર સુધીતા પ્રદેશને મગદેશ માનવામાં આવ્યે છે.1 આ તન્ત્રના મત પ્રમાણે મગધનેા દક્ષિણ ભાગ કીટકર અને ઉત્તરનેા ભાગ મગધ ૧. कालेश्वरं समाररभ्य तप्तकुण्डान्तकं शिवे । मगधाख्यो महादेशो यात्रायां नहि दुष्यते । दक्षिणोत्तरक्रमेणैव क्रमात्कीटमागधौ । Jain Education International For Private & Personal Use Only —શક્તિતંત્ર ૩, ૭, ૧૬ એન્જન ૩, ૭, ૧૧ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy