SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ભૌગોલિક-પરિચય ૭૭ બૌદ્ધ સાહિત્યમાં ચેદિ રાષ્ટ્ર અંગે વિસ્તારથી નિરૂપણ મળે છે અને એનાં પ્રસિદ્ધ નગરનું પણ વર્ણન છે. ચેદિ જનપદથી જવાને એક માર્ગ હતો કે જે ભયંકર જંગલમાં થઈને જતો હતે. અને તે માર્ગમાં તરકોને ભય રહેતો હતે. મહાભારત–યુગમાં શિશુપાલ “ચેદિ” જનપદને સમ્રાટ હતો. આચાર્ય જિનસેને “ચેદિ” રાજ્યની સમૃદ્ધિનું વર્ણન કર્યું છે. ચંદેરીનગરીની નજીક આવેલ પ્રદેશ ચેદિ” જનપદ કહેવાતું હતું. શુક્તિમતીયા નામની જૈન શ્રમણની એક શાખા પણ જોવા મળે છે." બાંદા જિલ્લાની આસપાસના પ્રદેશને શુક્તિમતી કહેવામાં આવતા. રાક સન્નિવેશ રાક સનિશ એ પ્રાચીન અંગ જનપદ અને આધુનિક પૂર્વ બિહારમાં હવે જોઈએ. અહીંયાં ભગવાન મહાવીરને ગુપ્તચર સમજીને પકડવામાં આવ્યા હતા અને પછીથી સોમા અને જયંતી પરિવાજિકાઓ વડે પરિચય આપવામાં આવતાં ભગવાનને મુક્ત કરવામાં આવ્યા હતા. છમ્માણિ છમ્માણિ મધ્યમ પાવાની નજીક ચંપાના રસ્તે હતું અને ગેવાળે ભગવાનના કાનમાં કાષ્ટશલાકા નાંખી હતી. જ બસંડ. ભગવાન મહાવીર દિલ નગરીથી કદલિસમાગમ થઈને અહીં પધાર્યા હતા અને એમણે અરોથી વૈશાલી તરફ પ્રસ્થાન કર્યું હતું. ૪. (ક) બુદ્ધકાલીન ભારતીય ભૂગોળ, પૃ. ૪૨૭ (ખ) અંગુત્તરનિકાય ૩, આવૃત્તિ ૩૫૫ ૫. શિશુપાલવધ મહાકાવ્ય, સર્ગ ૨, ૧૫, ૧૬, ૧૭ ૬. આદિપુરાણ ૨૯, ૫૫ ૭. કલ્પસૂત્ર ૨૦૯, પૃ. ૨૯૨ દેવેન્દ્રમુનિ સંપાદિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy