SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરને ઉપદેશ ભગવાન મહાવીરનું સાધક જીવન આત્મલક્ષી હતું, તે તીર્થંકર જીવન જન-કલ્યાણલક્ષી રહ્યું. તીર્થકર કાલના લગભગ ૩૦ વર્ષના સમયમાં ભગવાને હજારે નરનારીઓને શ્રમણધર્મની દીક્ષા આપી, લાખો મનુષ્યને શ્રાવકધર્મનો ઉપદેશ આપે. કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા પછી ભગવાન મધ્યમપાવાના મહાસેન ઉદ્યાનમાં મનુષ્યો અને દેવતાઓની વિશાલ પરિષદમાં પ્રવચન કર્યું. પ્રવચન પૂર્વે ઇન્દ્રભૂતિ આદિ વિદ્વાનોને દીક્ષા આપવામાં આવી. ધર્મતીર્થંકર પ્રવર્તન થયું અને તે પછી ધર્મઉપદેશ આપે. પ્રથમ ઉપદેશ શું હતું, એ અંગે બે પ્રકારની માન્યતાઓ છે. આચાર્ય ભદ્રબાહુનું કથન છે કે ભગવાને સર્વ પ્રથમ સામાયિક આદિ મહાવતેનું તથા ષજીવનિકાયનું પ્રવચન કર્યું. આચાર્ય હેમચન્દ્ર આદિની માન્યતા અનુસાર પ્રથમ વન્ને વા વિમે વધુ વા' આ ત્રિપદીનું વ્યાખ્યાન કર્યું. અને માન્યતાઓને સાર એ છે કે ભગવાને પ્રથમ પ્રવચનમાં જ તત્ત્વજ્ઞાન તેમ જ આચાર ધર્મ અને ઉપદેશ આપે. મહાવીરના તત્વજ્ઞાનને પરિચય આપ તે એક સ્વતંત્ર ગ્રંથનો વિષય છે. ઉપદેશ સાર અહીં સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવે છે. ભગવાનના મહાવીરનાં પ્રવચનની ભાષા એ સમયની લોકભાષામાં અર્ધમાગધી હતી. એમને ઉપદેશ અર્થરૂપમાં (ભાવરૂપમાં) હતા, ઉપદેશોનું આજે જે સ્વરૂપ ઉપલબ્ધ થાય છે, તે ભગવાન મહાવીરના ૧. જુઓ–લેખકનું પુસ્તક “મહાવીરનું તત્ત્વદર્શન’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy