SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર ભગવાન મહાવીર : એક અનુશીલન શિમિ રાજાના ઉપાખ્યાનના રૂપમાં વૈદિક મહાભારતમાં પણ પ્રાપ્ત થાય છે અને બૌદ્ધ વાડ્મયમાં તે ‘જિમૂતવાહન ’ની ઘટનાના રૂપમાં ચિત્રિત કરવામાં આવી છે. પ્રસ્તુત ઘટના પરથી એમ કહી શકાય કે જૈન પરંપરા માત્ર નિવૃત્તિરૂપ અહિંસામાં જ નહીં પણ મરણ પામનારની રક્ષા કરવાની પ્રવૃત્તિરૂપ અહિંસાને પણ ધર્મ માને છે. ’ અરક અઢારમા તીર્થંકર · અર'નું વર્ણન અગુંત્તરનિકાય’માં પણ મળે છે. તે સ્થાને તથાગત બુદ્ધે પાતાની પૂર્વે જે સાત તીર્થંકર થઈ ગયા હતા એનું વર્ણન કરતાં કહ્યું છે કે એમાંના સાતમા તીર્થંકર હતા.૪૪ અરક તીર્થંકરના સમયનું નિરૂપણ કરતાં કહેવામાં આવ્યું છે કે અરક તીર્થંકરના સમયમાં મનુષ્યનું આયુષ્ય ૬૦ હજાર વર્ષનું ગણાતું. ૫૦૦ વર્ષની કન્યા વિવાહને ચાગ્ય ગણવામાં આવતી. એ યુગમાં મનુષ્યેાને કેવળ છ પ્રકારનાં દુઃખ કે કષ્ટો હતાં- (૧) શીત, (૨) ઉષ્ણુ, (૩) ભૂખ, (૪) તૃષા, (૫) પેશાબ, (૬) મલેાત્સર્ગ. આ સિવાય કોઈ પ્રકારની પીડા અને વ્યાધિ ન હતાં. તે પણ અરકે માનવાને નશ્વરતાનેા ઉપદેશ આપી ધર્મના સંદેશ આપ્યા હતા.૪૫ એમના આ ઉપદેશની તુલના ઉત્તરાધ્યયનના દશમા અધ્યયન સાથે કરી શકાય છે. જૈનાગમ અનુસાર ભગવાન અર’નું આયુષ્ય ૮૪૦૦૦ વર્ષ છે. અને એમની પછી થયેલા તીર્થંકર મલ્લીનું આયુષ્ય ૫૫૦૦૦ વર્ષનું છે. ૪૬ ४४ भूतपुत्रं भिक्खवे सुनेत्तोनाम सत्या अहे सि तित्थक कामेह वीतरागे.... મુાવલ...અરનેમિઠુદ્દાથિ-વારુ નાતિવા... મા નામ સહ્યા अहोस तित्थक कामेसु वीतरागो । अरकस्स खो पन, भिक्खवे, सत्थुना अनेकानि खावकसतानि अहे । —ગ સુત્તનિાય, ભાગ ૩. પૃ૦ ૨૫૬-૨૫૭ સ. ભિક્ષુ જગદીશ કસપેા, પાલિ પ્રકાશન માંડલ બિહાર રાજ્ય ૪૫ અંગુત્તરનિકાય, અર્કસૂત્ત, ભાગ-૩ પૃ ૨૫૭. સંપાદક પ્રકાશક ઉપર મુજબ. ૪૬ આવશ્યક નિયુક્તિ ગા. ૩૨૫-૩૨૭, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy