SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાપના * * * * ભગવાન મહાવીરના પ્રથમ સમવસરણમાં જ પૂર્વ ભારતના અગિયાર મહાપંડિત પિતાની પ્રચ્છન્ન શંકાઓનું સમ્યક સમાધાન પ્રાપ્ત કરી પિતપોતાનાં શિષ્યમંડલ સહિત દીક્ષિત થઈ ગયા અર્થાત એક જ દિવસમાં ચાર હજાર ચાર શિષ્ય બની ગયા. પૂર્વે વિસ્તારથી આર્યા ચંદનબાલાનું વર્ણન કરવામાં આવ્યું છે તે આ વખતે કૌશાંબીમાં હતી. આકાશમાર્ગે દેવવિમાનને જતાં જોઈને એણે અનુમાન કર્યું કે ભગવાનને કેવલજ્ઞાન થઈ ગયું છે. એના મનમાં સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. અવધિજ્ઞાનથી દેવે એની ભાવના જાણી અને એને પણ સમવસરણમાં લઈ આવ્યા. દીક્ષિત બનાવવા માટે એણે ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને એને દીક્ષા આપી અને સાદી સમુદાયની એને પ્રમુખ બનાવી. આર્યા ચંદનબાલાએ તે વખતે કોઈ ને કોઈ મહિલાઓ સાથે સંયમ ગ્રહણ કર્યો હતો પણ આજ સુધી એમનાં નામનિર્દેશની સૂચિ ઉપલબ્ધ થતી નથી. તે પણ એ સાચું છે કે ચંદનબાલાની સાથે સેંકડે કે હજાર મહિલાઓએ પણ સંયમ સ્વીકાર્યો હતો. જેના કારણે જ ભગવાને એને સાધ્વી સમુદાયની પ્રમુખ બનાવી હતી. જે એ વખતે તે એકલી જ હોય તે સાદેવીપ્રમુખ કેવી રીતે થાય ? ૧. (ક) આવશ્યક નિર્યુક્તિ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય (ગ) ત્રિષષ્ટિ. ૧૦, ૫ ૨, (ક) મહાવીર ચરિયું ૮, ૨૫૭ [ ગુણચંદ્ર] (ખ) ત્રિષષ્ટિ, ૧૦, ૫, ૧૬૪ જુઓ-(ક) શતપથ બ્રાહ્મણ ૧૩, ૨, ૨૦, ૪ (ખ) અસ્વતંત્ર ધ સ્ત્રી - ગૌતમ ધર્મસુત્ર ૧૮, ૧ (ગ) સ્વતંત્રા સ્ત્રી પુes પ્રઘાના - વાસિષ્ટ ૫, ૧ (ધ) મહાભારત, અનુશાસન પર્વ ૨૦, ૧૪ () મનસ્મૃતિ ૯, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy