________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
શ્રમણાને આહાર આદિ લેવાને કારણે અનંત જીવોની હિંસાના દોષના ભાગી ખનવું પડે, એટલે શ્રમણાને અહિ સકે કેવી રીતે મનાય ? ભૂત સજીવ હોવા છતાં સાધુને હિંસાને દોષ એટલા માટે લાગતા નથી કેમકે શસ્ત્રાપહત પૃથ્વી આદિ ભૂતામાં જીવ હાતા નથી. આ પ્રમાણે ભૂત નિર્જીવ જ હોય છે. એ કથન પણ ઉચિત નથી. કોઈ વ્યક્તિ ફક્ત જીવનેા ઘાતક થવાથી હિંસક છે એમ માનવું પણુ તર્કસંગત નથી કે થાડા જીવા હાવાથી હિંસા થતી નથી અને વધુ જીવા હાય તા હિંસા થાય છે. હિંસક અને અહિંસકની સાચી ઓળખ એ છે કે જીવ જીવની હત્યા ન કરવા છતાં પણ દુષ્ટ ભાવાને કારણે વ્યક્તિ હિંસક કહેવાય છે અને જીવના ઘાતક હાવા છતાં વ્યક્તિ શુદ્ધ ભાવાવાળી થવાને કારણે અહિંસક કહેવાય. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સમ્પન્ન જ્ઞાની મુનિ અહિંસક છે. એનાથી વિપરીત જેનું જીવન અસંયમી છે, તે હિંસક છે. સંયમી કોઈ જીવની હત્યા કરે યા ન કરે તે હિંસક નહી કહેવાય કેમકે હિંસા અને અહિંસાના આધાર આત્માને અધ્યવસાય છે, ક્રિયા નહીં. વસ્તુતઃ અશુભ પરિણામનું નામ જ હિંસા છે. તે અશુભ પરિણામ ખાઘજીવની ઘાતની અપેક્ષા રાખે છે અને નથી પણ રાખતા જે જીવ&િ'સા અશુભ પરિણામજન્ય છે અથવા અશુભ પરિણામની જનક છે તે જીવવધ હિ'સા જ છે. જે જીવ–વધ અશુભ પરિણામના જનક નથી, તે હિંસાની કોટિમાં નથી આવતા. જેવી રીતે શબ્દાદ્વિ વિષયાથી વીતરાગને રાગ ઉત્પન્ન થતા નથી કેમકે તેએ શુદ્ધ ભાવમાં હાય છે. તેવી જ રીતે સંયમીને જીવવધ પણ હિંસા નથી કેમકે એનુ મન શુદ્ધ છે.
se
આ પ્રમાણે ભગવાન મહાવીરે વ્યક્તના સંશયને નાશ કરી નાંખ્યા ત્યારે વ્યકતે પેાતાના પાંચસે શિખ્યા સહિત ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.કર
૬ર. વિશેષાવશ્યક ભાષ્ય ૧૦૬૨-૧૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org