________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
પક શ્રે
રણ અને અડામાં કેવલી ગાય
ભગવાન મધ્યમ પાવાથી પ્રસ્થાન કરી જંભિયગ્રામની નજીક જુવાલુકા નદીના કિનારે આવેલા જીણું ઉઘાન પાસેના શ્યામા નામના ગાથા પતિના ક્ષેત્રમાં સધન શાલના વૃક્ષ નીચે દેહિકા આસનમાં બેસી પ્રભુ આતાપના લઈ રહ્યા હતા તે વખતે વૈશાખ મહિનો હતો. સુદ દસમના દિવસને અંતિમ પ્રહર હતું. આ સમયે છઠ્ઠભક્તની નિર્જલ તપસ્યા ચાલી રહી હતી. આત્મમંથન ચરમ સીમા પર જઈ રહ્યું હતું, ક્ષપક શ્રેણીનું આરોહણ કરી, શુકલ–ધ્યાનના બીજા ચરણમાં મેહનીય, જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને અંતરાય આ ચાર ધાતી કર્મોને ક્ષય થયો, અને ઉત્તરા ફાગુની નક્ષત્રના રોગમાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટ થયું. ભગવાન હવે જિન અને અરિહંત થઈ ગયા. સર્વજ્ઞ અને સર્વદશ બની ગયા. ભગવાન મહાવીરને કૈવલ્ય પ્રાપ્ત થતાંની સાથે જ એકવાર આ સંસાર અપૂર્વ પ્રકાશથી ઝગમગી ઊઠયો. દિશાએ શાંત અને વિશુદ્ધ થઈ ગઈ. મંદ-મંદ સુખકર પવન વાવા લાગ્યા. દેવતાઓનાં આસન ડેલી ઊઠયાં અને તેઓ દિવ્ય દેવ-દુંદુભિને ગંભીર ઘોષ કરતા ભગવાનનો કૈવલ્ય-મહોત્સવ ઉજવવા માટે પૃથ્વી પર આવ્યા. ૧. (ક) આચારાંગ ૨,૧૫,૩૮ (ખ) કલ્પસૂત્ર ૧૨૦ (1) अवं तवोगुणरतो अणुपुव्वेण मुणी विहरमाणो ।
घोर परीसहचमु अधियासित्ता महावीरो । उप्पण्णम्मि अणंते णहाम्म य छातुमत्थिो णाणे ।
–આ. નિયુક્તિ ૪૨૦-૨૧ (ઘ) વિશેષાવડ ભાષ્ય ૧૯૭૨-૧૯૭૩ (ડ) ઉત્તરપુરાણ ૭૪,૩૪૮-૩૫૫ (ચ) ત્રિષષ્ટિ ૧૦, ૫. ૩-૪. विज्ञायासनक पेन केवलज्ञानमीशितुः । इन्द्राः सह सुरैस्तत्र समाजम्मुः प्रमोदिनः ॥ केऽप्पुत्येतुः केऽपि पेतुर्न नतुः केऽपि केऽपि व । जहसुः केऽपि च जगुबूच्चक्रुः केऽपि केऽपि सिंहवत् ॥ स्वामिनः केवलोत्पत्त्या हृष्टात्मानोऽपरेऽपि हि । ચતુવિદ્યા તિવિષે વિવિઘ વિિિષ્ટ | –ત્રિષષ્ટિ. ૧૦,૫૦થી ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org