SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : એક અનુશીલન ભર તે ભટકતા રહ્યો, આમતેમ ઠોકરા ખાતે રહ્યો પણ બળદો જડચા નહીં. ૩૭૨ પૂર્વ ક્ષિતિજ પર સાનેરી પ્રભાતની સોનેરી આભા ફૂટી રહી રહી હતી, પણ ગાવાલના મનમાં નિરાશાની કાળી–કાજળ રાત્રિ છવાયેલી હતી. આખી રાત રખડીને થાકેલેા, ખિન્ન ચિત્ત, પડેલા મુખે તે પાળે ફરી રહ્યો હતા. આ ખાજુ ખળદો પણ 'ગલમાંથી ફરતા ફરતા મહાવીરની પાસે આવીને બેસી ગયા હતા. ગેાવાળે બળદોને મહાવીર પાસે બેઠેલા જોયા કે એના ક્રોધ ભભૂકી ઊઠચો. એની આંખા ક્રોધથી લાલચેાળ થઈ ગઈ.‘દુષ્ટ, સાધુના વેશમાં ચાર ! મારા બળદોને રાત આખી કોઈ એકાંતમાં સંતાડી દીધા હતા અને હવે તેને લઈને રવાના થઈ જવા માગતા હતા કેમ? આખી રાત ભટકી-ભટકીને હેરાન થઈ ગયા. પણ ખળદ મળે જ કેવી રીતે! લે હવે હું એની તને શિક્ષા કરું છું.” ગુસ્સે થયેલા ગોવાળ ખળદોને અછાડાથી મહાવીરને મારવા ઢોડયો.૨૨ આ સમયે દેવસભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્રે વિચાર કર્યો કે આ વખતે ભગવાન મહાવીર શું કરી રહ્યા છે? અવધિજ્ઞાનથી ગાવાળને આ પ્રમાણે મારવાને તૈયાર થયેલેા જોઈને ઇન્દ્રે એને ત્યાં જ સ્તંભિત કરી દીધા અને પ્રગટ થઈ કહ્યું-અરે! દુષ્ટ તું શું કરી રહ્યો છે? સાવધાન ! દેવરાજ ઇન્દ્રના ોરદાર પડકારથી ગોવાળ ગભરાઈને એક માજુ ઊભા રહી ગયા. ઇન્દ્રે એને કહ્યું-મૂર્ખ ! જેને તું ચાર સમજે છે, તેઓ ચાર નથી. આ તે રાજા સિદ્ધાર્થના તેજસ્વી પુત્ર વર્ધમાન છે. રાજવૈભવને લાત મારીને તે આત્મસાધના કરવા નીકળ્યા છે. તે શું તારા ખળદોની ચારી કરશે? દુઃખ એ વાતનું છે કે તું પ્રભુ પર પ્રહાર કરી રહ્યો છે ?૨૩ ૨૨. (ક) આવ. મલ. વૃત્તિ ૨૬૭ (ખ) આવ. હારિ. પૃ. ૧૮૮ ૨૩. (ક) દુરા । ન ચાતિ સિદ્ધસ્થરાયપુત્તો દ્સ વન્ત્રતે । -આવ. મલ, ૨૬૭ (ખ) ત્રિષષ્ટિ, ૧૦,૩,૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy