SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ તત્કાલીન સામન્તશાહી-વાતાવરણને લેાકતંત્રમાં પલટાવી દીધું. રાજનીતિની પરિભાષા તેમજ શાસન-વ્યવસ્થા અહિંસાપ્રધાન વિચારધારા સાથે આપોઆપ સાંકળવામાં આવી. કેમકે સામાન્ય જનની ઉપેક્ષા કરવી સરલ નથી. નિધન વ્યક્તિ એટલી જ સ્વતંત્ર સત્તાવાળી છે, જેટલી ધનવાન વ્યક્તિ. સાધુ પણ એની ઉપેક્ષા કરી શકતા નહીં. ૧ ભગવાન મહાવીરના ચિંતને ભારતીય મનીષાને ખૂબ પ્રભાવિત કરી છે. ભારતની પ્રાચીન ભાષાઓથી આર.ભી આધુનિક ભાષા પન્ત મહાવીરની ગૌરવગાથા ગૂંથાએલી છે. એમના ચિંતનના વિકાસ પ્રાકૃત, સ`સ્કૃત, અપભ્રંશ તેમજ આધુનિક ભાષામાં સાહિત્યના વિભિન્ન કથાનકા, દૃષ્ટાન્તા તથા રૂપકે। દ્વારા પ્રસ્તુત કરવામાં આળ્યેા છે. સંભવત: મહાવીર દ્વારા પ્રણીત ધર્મની વ્યાખ્યામાં સર્વાધિક અભિપ્રાય (Motifs) અને પ્રતીકાના પ્રાગ થયેલા છે. સંસ્કૃત, પ્રાકૃતમાં તે પ્રતીક ગ્રંથ સ્વતંત્ર રૂપમાં જૈનાચાય દ્વારા લખાયેા છે.’ જેમાં એમણે કહ્યુ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને જ મેધાવી વિનમ્ર થાય છે અને જ્ઞાનના અભાવમાં સંયમ રહે નહી. [ ઉત. ૨૮, ૩૦] જ્ઞાન જ સાચા પ્રકાશ છે— जाणुज्जोवो जीवो —ભગવતી આરાધના ગા. ૭૬૮ જ્ઞાનના આ મહિમાને કારણે જ ભગવાન મહાવીરની પરંપરામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ જૈનાચાય નિષ્ણાત ખનતા રહ્યા છે. શિક્ષણના પ્રસંગ પર જૈનાગમામાં વિભિન્ન કલાઓનું વર્ણન ઉપલબ્ધ થાય છે. જે વિવિધ શિલ્પ તેમજ વિદ્યાએ દૈનિક જીવનમાં પ્રયુક્ત થતી હતી એના સંદર્ભો પણ જિનાગમમાં મળે છે. આયુર્વેદવિજ્ઞાન, યુદ્ધવિજ્ઞાન, રસાયન-શાસ્ત્ર, યંત્રશિલ્પ આદિના કેટલાક १. नीयं कुलमइक्कम्म ऊसढं नाभिधारए । Jain Education International For Private & Personal Use Only —દશ. ૧, ૨, ૨૫ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy