SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ર ભગવાન મહાવીર : એક અનુશીલન ઉત્તરપુરાણમાં આ ખાખત આ પ્રમાણે છે-વિશ્વભૂતિ દીક્ષા લે છે અને પોતાના નાના ભાઈ ને રાજ્ય આપી દે છે. પરંતુ થાની મૌલિક ઘટના ઉદ્યાનની પુષ્પ ક્રીડા, ભાઈ ના અધિકાર તથા કેવી રીતે કપટયુદ્ધનું સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું વગેરે ઘટનાએ અન્ને પરંપરામાં સમાન છે. જેમ પહેલાં કહી ગયા તેમ શ્વેતાંખર ગ્રંથા અનુસાર વિશાખનંદી કુમાર મથુરામાં લગ્ન માટે આબ્યા હતા જ્યારે ઉત્તરપુરાણ પ્રમાણે તે વ્યસનમાં ફસાઈને રાજ્યમાંથી પદભ્રષ્ટ થઈ ગયા હૈાય છે, અને તે એક રાજાના ક્રૂત તરીકે મથુરા આવેલેા હાય છે. ત્યાં તે એક વેશ્યાના મકાનમાં બેઠા હતા ત્યારે મુનિને તરતની વિયાએલી ગાયની ટક્કર લાગતાં ગબડી પડતા જોઈને એના ઉપહાસ કરતા વર્ણવવામાં આવ્યા છે.૯૭ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ગુણચંદ્રે શ્રેયાંસ તીર્થંકરના પ્રસંગમાં ત્રિપૃષ્ટ વાસુદેવને પૂર્વભવ ખતાવવા માટે વિશ્વનંદીની કથા આપી છે, જોકે તે અતિ સંક્ષિપ્તમાં અને જુદી જ રીતે આપવામાં આવી છે, ફક્ત ઉદ્યાન અને ગાયના પ્રસંગેા સરખા છે. કપિત્થ(કાઠીનું ઝાડ) વાળા પ્રસંગ એમાં નથી તેમજ કપટયુદ્ધના પ્રસંગ પણ નથી. ઉદ્યાન માટે બન્ને ભાઇઓ વચ્ચે યુદ્ધ થાય છે અને વિશાખનંદી ભાગી જાય છે. એથી વિશ્વનંદીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.૯૮ અને તે ८७ प्रविष्टवान् विनष्टात्मबलश्चलपद स्थिति: । तथा व्यसनसंसर्गाद् भ्रष्टराज्यों महीपतेः ॥ ११३ ॥ कस्यचिद् दूतभावेन मथुरां पुरमागतः । विशाखनंदी वेश्याया: प्रासादतलमाश्रितः ॥ ११८ ॥ ८८ विखाखभूतिपुत्रेण निर्भर वनपालकान् । स्वीकृत तबलात्तेन तेनासीत्स युगस्तयोः ॥ स ग्रामासनात्तत्र दृष्ट्वा तस्य पलायनम् । विश्वनन्दी विरक्तः सन् घिग्मोहमिति चिन्तयन् ॥ Jain Education International For Private & Personal Use Only -ઉત્તરપુરાણ ૭૪ ઉત્તરપુરાણ ૫૭,૭૬ ૭૭ www.jainelibrary.org
SR No.004555
Book TitleBhagavana Mahavira Ek Anushilan
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year
Total Pages1008
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy