________________
નિવેદન
શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની સ્થાપના પછીનાં વર્ષોમાં * મનનુ ધન , ‘ આંતરનાદ’ અને ‘ચિત્ત પ્રસન્નતા ? નામની પોકેટ બુક પ્રકાશિત થઈ હતી. અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. ત્યાર પછી વિ. સં. ૨૦૩૩ માં આ ત્રણે પુસ્તિકાઓનું વિભાગવાર સંકલન કરવામાં આવ્યું અને * આત્મસંવેદન’ નામે પુસ્તક પ્રકાશિત થયું. છેલ્લાં ચાર વર્ષથી આ પુસ્તક અપ્રાપ્ય હતું અને એનું પુનઃમુદ્રણ જરૂરી હતું તેથી આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે.
- પૂજ્ય ગુરુદેવશ્રીના મૌલિક ચિંતનના આ અણુ માલ થાળ છે. જૈન હો કે જૈનેતર હો, સહુનાં ચિત્તને શાન્તિ, આનંદ અને પ્રસન્નતાથી ભરી દેનારૂં આ ચિંતનપૂર્ણ સાહિત્ય છે.
સુંદર-કલાત્મક છાપકામ કરી આપનારા હર્ષા પ્રીન્ટરીના માલિક શ્રી કેશવજીભાઈ, અંગત લાગણીથી પ્રેરાઈને અમારાં ટ્રસ્ટનાં બીજા પણ પુસ્તકોનું કાળજીપૂર્વક છાપકામ કરી રહ્યા છે, એમને કેમ ભૂલી શકાય ?
સહુ કેાઈ આ પુસ્તકના વાંચન-મનનથી જીવનમાં શાન્તિ અનુભવે અને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત કરે એ જ શુભ કામના.
મહેસાણા : જેઠ સુદ : ૧ વિ. સં. ૨૦૩૯
જયકુમાર બી. પરીખ
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
im
Fare
Only
www.jainelibrary.org