SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ એમની સાથે ચાલી નીકળવા તૈયાર છે ? તે માટે ઘરબાર મોહ છોડવા તૈયાર છે ? ધ્યાન રાખે. આયુષ્યને સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ ભવાટવીનાં કુર પશુઓના હાથે ચૂંથાઈ જવાનું થશે. જો ખાવા-પીવામાં અને આરામ કરવામાં ભાન ભૂલી ગયા છે ! ભૂલી ન જાઓ કે તમારું નગર મેક્ષ છે. ત્યાં જેમ બને તેમ જલદી પહોંચવાનું લક્ષ રાખી આગળ વધતા જાઓ. સાધુ પુરુષોને સંગાથ છોડે નહિ. કોટમાં કેસ ભગવાન જિનેશ્વર દેવની કોર્ટમાં આપણે આપણા શત્રુ કર્મોની સામે કેસ દાખલ કર્યો છે. અનંત કાળથી આપણને પીડી રહેલા કર્મોથી મુકત થવા માટેની આપણી માગણી જિનેશ્વર ભગવંત સમક્ષ રજૂ કરી છે. fa fઆપણી બુદ્ધિ અ૯૫ છે. શત્રુના પક્ષે મોટા મોટા બેરીસ્ટરો, સાલી સીટો રહેલા છે. તો શું આપણે પણ બેરીસ્ટરોને, સોલીસીટરોને આપણા પક્ષે ને રાકવા જોઈએ ? | પૂજ્ય ગુરુ મહારાજ આપણા બેરીસ્ટરો અને સાલીસીટ છે. એમની સલાહ-સૂચના લઈને જ આપણે કામ કરવું જોઈએ. જ્યાં સુધી કેસ ચાલે, આપણા વિજય જાહેર ન થાય ત્યાં સુધી આપણા બેરીસ્ટરોને સપક સતત રાખવા જોઈએ તે માટે જેટલે તન-મનધનનો વ્યય કરવો પડે તે કરતાં અચકાવું ન જોઈએ. કારણ કે વિજય મળ્યા પછી અનંત સંપત્તિ આપણને મળી જવાની છે, કે જે આપણી છે. આત્મસંવેદના ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004554
Book TitleAatmsamvedan
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Discourse
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy