________________
(૨) કલ્પવૃક્ષ આકારે (૩) ચક્રાકારે સિદ્ધચક્રનું ધ્યાન કરાય છે. (૧) કળશ આકૃતિથી સિદ્ધચકનું ધ્યાન :–
ચિત્રમાં આપેલ આકૃતિ મુજબ પ્રથમ વલયમાં આઠ પાંખડીવાળા કમળની કર્ણિકામાં વચ્ચે અરિહંત અને ચાર દિશાની ચાર પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તથા ચાર વિદિશાની ચાર પાંખડીમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ-આ પ્રમાણે નવપદની સ્થાપના કરવી. બીજા વલયમાં અષ્ટ વર્ગ, ત્રીજા વલયમાં અડતાલીસ લબ્ધિપદો અને ચોથા વલયમાં આઠ ગુરૂ પાદુકો. તે પછીના વલયોમાં જયાદિ આઠ દેવીએ,અઢાર અધિષ્ઠાયક દેવો, સોળ વિદ્યાદેવીઓ, વીસ અક્ષયક્ષિણીઓ ગેળાકારમાં લેવાં. તે પછી ચાર દિશામાં ચાર દ્વારપાળ, ચાર વીર ગોઠવવા. દશ દિશામાં દશ દિપાલ, કંઠમાં નવ નિધિ અને નીચે મૂળમાં નવ ગ્રહ-આ રીતે કળશની આકૃતિમાં જગતનાં સર્વ ઉત્કૃષ્ટ પદ-અમૃતમય પદે રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું.
અગર ઉપરના બધાં પદોની ધારણ અનુકૂળ ન લાગે તો કળશ આકૃતિમાં જગતનાં સર્વ અમૃતમય ઉત્તમ પદે રહેલાં છે, તે વિચારી કળશાકાર આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન કરવું. (ર) કલ્પવૃક્ષની આકૃતિથી સિદ્ધચક્રનું ધ્યાન :–
“જે પૂરિ સિરિ અરિહંત, મૂલ દઢ પીઠ પઈઠ્ઠિયો”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org