________________
૩૧૦
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
ધોરણે છે. પણ મોક્ષમાર્ગે ચાલવા આરાધના રથનાં બે પૈડાં છે. જ્ઞાન અને ક્રિયા તે બન્ને પરસ્પર સાપેક્ષતારૂપ ધરીમાં જોડાયેલ છે. અર્થાત્ જ્ઞાન, ક્રિયા સાપેક્ષ હોય તો મોક્ષમાર્ગનું સાધક છે. તે રીતે ક્રિયા, જ્ઞાન સાપેક્ષ હોય તો મોક્ષમાર્ગમાં સાધક બને. આવા અધ્યાત્મવાદીના ગ્રંથોમાં શબ્દથી મોક્ષની વાત હોવા છતાં તેના પાયામાં એકલા આંતરિક પરિણામની ધારાને મહત્ત્વ અપાયેલ છે, પણ મોક્ષ એટલે છૂટવું એ ક્રિયા છે, તેની વિરોધી ક્રિયા બંધાવું એ છે. તો આ બંધ મોક્ષ બંને ક્રિયા સ્વરૂપ હોઈ, કઈ ક્રિયા બંધની, કઈ ક્રિયા મોક્ષની ? એ સમજવાની જેમ બંધની ક્રિયાનો ત્યાગ અને મોક્ષની ક્રિયાનો સ્વીકાર વિરતિરૂપે કર્યા વિના શી રીતે મોક્ષમાર્ગે ડગલું પણ ભરી શકાય? ખૂબ ગંભીરપણે વિચારશો. કહેવું ન જોઈએ પણ મને મારા પોતાના ગુરુકૃપા બળે મળેલ ક્ષયોપશમના આધારે એમ ગણી – કહી શકાય કે આવું બોલનારા, માનનારા, સમજનારા હકીકતમાં જિનશાસનને ઓળખી શકયા જ નથી. જિનશાસન જ્ઞાન સાપેક્ષ ક્રિયા અને ક્રિયા સાપેક્ષ જ્ઞાન પર નિર્ભર છે.
જે જ્ઞાનમાં હેયોપાદેયના નિર્ણયના અમલરૂપ ત્યાગ – સ્વીકારની ક્રિયા ન હોય તો તે જ્ઞાન નિરર્થક છે. વળી જે ક્રિયામાં કર્મબંધ કેમ ઘટે? તેને અનુરૂપ જ્ઞાન ન હોય તો તે ક્રિયા જડક્રિયા છે.
આ વાતને ગંભીરપણે વિચારવાથી જિનશાસનના રહસ્યને પામી શકાશે. પૂર્વાચાયની ગરિમાનાં દર્શન થશે.
તમો આ રીતે જીવનમાં જિનશાસનની સાચી ઓળખાણ મેળવી તે દિશામાં જે પગલાં ભર્યા છે તે તમારા સાનુબંધ બની રહે, પરંપરાએ તો સઘળાં કર્મોની નિર્જરાવાળા ઉચ્ચ કોટિના ત૫ સંયમની ભૂમિકાને મેળવી શકો એ મંગળ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org