________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૩૦૭
અને વિધિના બંધારણને વફાદાર રહેવાની મથામણ સાથે આચરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
આવી ભૂમિકાશુદ્ધ ક્રિયાઓની આચરણા, મોહના ગાઢતમ સંસ્કારોને પણ ઉખેડી ઉખેડી નિર્મળ બનાવી અંતરને જ્ઞાનીઓની આજ્ઞાના બહુમાનના લિંગ – ચિહન સાથે કેળવે છે. જેમ જેમ જ્ઞાનીઓની આજ્ઞા - શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રિયાઓને આચરવાની પદ્ધતિ ઉપર જેટલું હાર્દિક બહુમાન, એટલી ક્રિયાઓની ભૂમિકા શુદ્ધ આચરણા આપણામાં વિકસી હોય એવું જણાય છે. જ્ઞાની જે નિર્દિષ્ટ મર્યાદાઓ પ્રતિ ઉપેક્ષા અગર અધીરણા - અબહુમાન જણાય છે તે આ બધું ક્રિયાઓની આચરણાની પાયાની ભૂમિકાની નબળાઈ સૂચવે છે.
શ્રી જિનશાસનની આ પ્રવિશિષ્ટતા છે કે અજ્ઞાની આત્માઓની વર્તમાનકાળની અવસ્થામાં પણ જે, યોગ્ય જ્ઞાની ગીતાર્થ સદ્દગુરુની નિશ્રામાં રહેવાની તત્પરતા, શરણાગતિ ભાવપૂર્વક કેળવાઈ જાય તો, ગમે તેવા નિબિડ અશુભ કર્મોની અસર પણ હઠવા માંડે છે અને એક વખતનો ઘોર પાપી – સાવ નિપુર આત્મા પણ, અંતરની શુદ્ધિના રાજમાર્ગને સરળતાપૂર્વક ઉમંગભેર અપનાવતો હોય છે.
આવી ઉચ્ચ ભૂમિકાની કેળવણીના લક્ષ્ય માટે જાગૃતિ કેળવવાનો સત પ્રયત્ન કરવા પ્રયત્નશીલ બનવું જરૂરી છે.
લ16
STUF
૩પ.
ચારૂપ
૧૮-૫-૮૬ શ્રી જિનશાસન પામ્યાની ખરી વિશેષતા એ છે કે, જીવ માત્ર પ્રતિ આંતરિક મૈત્રીભાવ જાગે. જીવ અને તેની વર્તમાનકાલીન કર્મબદ્ધ વિકૃત સ્વરૂપની જાણકારી જિનશાસનના પાયામાં છે. જિનશાસન એટલે જિનનું શાસન - જિન એટલે રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓને જિતે તે. આ અંતરંગ શત્રુઓએ જ જીવનું વર્તમાનકાલીન વિકૃત સ્વરૂપ ઊભું કર્યું છે. એટલે જિનશાસનના પાયામાં અંતરંગ રાગાદિ શત્રુઓની ઓળખાણ અને તેમની જળભરી કાર્યનીતિનો પરિચય થવો જરૂરી છે. એટલે જિન પરથી અંતરંગ રાગાદિ શત્રુઓની વિચારણાના આધારે, જગતના જીવ માત્ર આ રાગાદિ શત્રુઓની વિષમ
Jain Education International
For Private & Personal Use Only
www.jajnelibrary.org