________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૩૦૩
Bર
પાટણ.
૭-૨-૮૬ તત્ત્વજિજ્ઞાસા ઊપજવી ઘણી મુશ્કેલ છે પણ કદાચ વિશિષ્ટ પુણ્યના ઉદયે ઊપજે પણ જે તત્વની યથાર્થ ઓળખાણરૂપે તે જિજ્ઞાસાનું પરિણમન ન થાય – માત્ર જિજ્ઞાસારૂપે રહે, તે ઈચ્છનીય નથી. તે ઓળખાણ એવી વિશિષ્ટ ભૂમિકાની હોય છે કે પરિણામે અનર્થકારી દિશામાંથી પીછેહઠ થાય જ તે વિના તત્ત્વજિજ્ઞાસાનો ઉદય જીવનશુદ્ધિ માટે અનુકૂળ થયો ન ગણાય. તત્ત્વજિજ્ઞાસા સાથે જ્ઞાની સદ્ગરના સમાગમે આપણી અંતરની જાગૃતિ કેળવાય અને તત્ત્વભૂત ચૈતન્યના સ્વરૂપની ઓળખાણ-પ્રતીતિ માટે આપણામાં તમન્ના જાગે, તો તત્ત્વજિજ્ઞાસા સફળ ગણાય.
પુલ પદાર્થની જિજ્ઞાસાથી જેમ બને તેમ વિશિષ્ટ પ્રશસ્ત વદિવાળા પદાર્થોની જાણકારી અને તે મેળવવા માટે યોગ્ય પ્રબળ પુરુષાર્થ થયા વિના રહેતો નથી. પરિણામે તે તે પ્રશસ્ત વર્ણાદિવાળા પુદ્ગલ પદાર્થોની જાણકારી વગેરે ક્રમે તેને મેળવી, તેના ભોગ સુધી આપણી વૃત્તિઓ શમતી નથી, તે રીતે આત્મતત્વની જિજ્ઞાસાના બળે, માત્ર સ્વાધ્યાય કે આત્મતત્ત્વની શાબ્દિક વિચારણાથી જો સંતોષ મનાય, તો તે જિજ્ઞાસા મૌલિક ન ગણાય.
ખરેખર તો જિજ્ઞાસામાંથી પ્રવૃત્તિને યોગ્ય દિશામાં પુરુષાર્થ કરી, તે સહજ સંવેદ્ય આત્મતત્વની અનુભૂતિ સ્વરૂપ સંવેદનાના લક્ષ્યાંકને પહોંચી વળવાનું જેમ પ્રગટે જ છે. આ રીતની તત્વજિજ્ઞાસા હકીકતમાં યોગ્ય રીતે વિશિષ્ટ પુણ્યના બળે તમે મેળવી છે. શરૂઆતમાં યોગ્ય શાસ્ત્રજ્ઞાનીનો સંપર્ક ન થયો તો તમે માત્ર અધ્યાત્મ-ગ્રંથોના વાંચનથી સંતોષ માની રહ્યા હતા પણ તમારી જિજ્ઞાસાવૃત્તિ ખરેખર મૌલિક હોવાથી, ધીમે ધીમે પૂ આ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. તથા શ્રીમદ્ દેવચંદજી મ. તથા ૫ ઉપાશ્રી યશોવિ. મ. ના ગ્રંથો, સ્તવનો વગેરેના નિમિત્તને પામી, પ્રભુશાસનના રાજમાર્ગરૂપ ક્રિયાયોગના પંથે ધીમે ધીમે આવી સાથે શાસ્ત્ર મર્યાદા – વિધિયોગ અને અવિરતિત્યાગની ભૂમિકાને પ્રાપ્ત કરાવનાર શ્રી નવકાર મહામંત્રનો જાપ – સર પરિચર્યા – જ્ઞાનીઓનાં વચનોની શરણાગતિરૂપ ત્રિવેણીમાં ડૂબકી મારી શક્યા. આ બધો પ્રતાપ મૌલિક તત્ત્વજિજ્ઞાસા તમારામાં પૂર્વની વિશિષ્ટ આરાધના-બળે જન્મેલી, તેના પરિણામે તમે આજે ઉચ્ચ આદર્શ શ્રાવકજીવનના પગથારે પહોંચી શકયા. શુષ્ક અધ્યાત્મ કે એકાંત નિશ્ચયનયની વિચારણામાં તમો ફસાઈ નથી શકયા તેમજ પરમાર્થ દષ્ટિથી તમો એકાંત જ્ઞાનયોગ કે પ્રત્યક્ષ સપુરુષ મળે ત્યારે વ્રત નિયમ પચ્ચકખાણ કરવાની વાતને સમજણપૂર્વક આત્મ – અહિતના માર્ગ તરફ લઈ જનારી સમજી, તમો વિવેકબુદ્ધિના આધારે ખરેખર આત્મહિતકર વિરતિના માર્ગ તરફ, પોતાની દષ્ટિથી - આગવી સૂઝ સાથે જ્ઞાનીઓનાં વચનોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org