SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ નવકારશ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા છે. તે અંગે શ્રી દેવચંદજી મ. શ્રીએ સ્તવન ચોવીશીમાં સારો પ્રકાશ પાથર્યો છે તે ધ્યાનમાં રાખવો. આપણે અહીં ટૂંકમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી આત્મસ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરીએ પ્રથમ ઓળખાણ આત્માની વ્યવહારનયથી કરવી જરૂરી છે. કેમકે વ્યવહારનય ભૂમિકા છે. તે વિના નિશ્ચયનયની વાત વ્યવસ્થિત રીતે મગજમાં જામી ન ગણાય. વ્યવહારનયથી આત્મા-શરીરધારી, ઇંદ્રિય, મન, બુદ્ધિ, આદિને પ્રેરનાર તથા મિથ્યાત્વાદિ પ૭ બંધ હેતુથી સમયે સમયે થઈ રહેલા કર્મબંધથી મલિન થઈ રહ્યો છે. ભૂતકાળના પ્રવર્તેલા આથદ્વારાથી આત્મા, કર્મના પરમાણુના જથ્થાથી મલિન અને તે તે કામણવર્ગણાના ભાર તળે દબાયેલ છે. આમાં આત્માની પરિણામિતા પુદ્ગલ કર્તૃત્વ અને પુદ્ગલ ભોકતૃત્વ યથાર્થ રીતે છે. તે વાત મગજમાં સ્થિર કરવી જરૂરી છે. આ વાતની યથાર્થ ગોઠવણી થયા પૂર્વે, નિશ્ચયનયની વાતોથી-આત્મા અજર, અમર, શુદ્ધ, શાશ્વત અને પુદ્ગલભાવના કર્તૃત્વ-ભોકતૃત્વરહિત છે. આદિ ધારણાઓ વિચારોમાં સુદઢ થવાથી, શુભ આશ્રવ કરાવનાર શુભ ક્રિયાયોગને, કે તે ક્રિયા જણાવનાર સદ્ગુરુ પ્રતિ, તેમજ તે તે ધર્મક્રિયાનાં શુભ સાધનો પ્રતિ, હૈયામાં આદર ન જાગે. ઉપરથી પુદગલનો કર્તા-ભોકતા હું નહીં એ વાત અધકચરી રીતે મગજમાં ઘોળાવાથી પ્રશસ્ત દેવ, ગુરુ અને ધર્મનાં આલંબનોની પક્કડ થાય નહીં. સરવાળે ક્રિયાયોગની આચરણા તો દુ:શકય બને જ, પણ કયારેક આત્મશુદ્ધિના પ્રધાન સાધનરૂપ ક્રિયામાર્ગની અવહેલનાનો ભાવ જન્મે. પરિણામે ઊલટું નવું મોહનીયકર્મ બંધાય. કેમ કે ક્રિયામાર્ગને જણાવનાર કેવળજ્ઞાનીઓ, સદ્ગુરુ ભગવંતો અને શાસ્ત્રો પ્રતિ ગર્ભિત અવહેલના, ક્રિયામાર્ગની અવહેલના, ઉપેક્ષા, અનાદર આદિથી થઈ જાય- સરવાળે આત્માની અશુદ્ધિ ઘટાડવાના સ્થાને, નવું કર્મ- મોહનીય તીવ્રપણે નિકાચિત બંધાઈ જાય. કેમ કે કેવલજ્ઞાની ભગવંતો, સદ્ગુરુ ભગવંતો અને શાસ્ત્રોની અવહેલનાના અજાણ્ય પણ થતા ભાવો, તીવ્ર નિકાચિત મોહનીય બંધાવનારા થાય એ સહજ વાત છે. તેથી સૌ પ્રથમ વ્યવહારનયની યથાર્થ વાસના, હૈયામાં સ્થિર કરવાની જરૂર છે. મારી અત્યારની વર્તમાન કાળની દશા કેવી છે ? તેનો યોગ્ય નિર્ણય પ્રથમ થવો જરૂરી છે. દર્દીની વર્તમાન પરિસ્થિતિના વ્યવસ્થિત અભ્યાસ વિના ટ્રીટમેન્ટ-ઔષધોપચાર શી રીતે થાય ? વ્યવહારનયની વાસના સ્થિર થયા પૂર્વે નિશ્ચય નય (જે પોતાની જગ્યાએ સર્વથા સત્ય છે છતાં)ની વાતો, અનધિકાર ચેષ્ટામાં આવી જાય. પરિણામે શુષ્ક અધ્યાત્મ અને કોરી વાયડી વાતો કરવાની દૂષિત વૃત્તિઓ ઊભી થાય. “નાચવું નહિ અને આંગણું વાંકું'ની જેમ ક્રિયાયોગની મહત્તા સમજાઈ ન હોય, કેમ કે ક્રિયાયોગ ઔષધિ છે પણ રોગની વર્તમાન દશા જ પરખાઈ ન હોય તો ઔષધની મહત્તા સમજાય શી રીતે ? કયારેક પછી આજે સદગુરુ નથી- પ્રત્યક્ષ સન્દુરુષ નથી, સદર્શન પાયો છે, ક્રિયા તો અનંતીવાર કરીવગેરે શાસ્ત્રવિરુદ્ધ બોલવાનું થાય. માટે વ્યવહાર નથી આત્મા હાલ કેવો, કેવી રીતે કર્મથી બંધાયો ? આશ્રયદ્વારો કયાં? તેને અટકાવવા શું કરવું? વગેરે ભૂમિકા વ્યવસ્થિત થવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy