________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૫૫
પાલીતાણા
૧૪-૩-૮૫ વર્ષીતપના પ્રારંભના આ શુભ દિવસે આ પત્રમાળાનો મંગળ સંકલ્પ મૂર્ત બની રહ્યો છે, તે મારા માટે ખૂબ જ આનંદજનક બીના છે. જે દિવસે પ્રભુ શ્રી ઋષભદેવે સંસારનો ત્યાગ કરી જગતુના જીવોના હિતાર્થે સંયમ ગ્રહણ કરી ૧૪ મહિના ચૌવિહાર ઉપવાસ કરી વિશુદ્ધ સંયમની પરાકાષ્ઠાએ પહોંચવા શુભ પ્રયત્ન આદરેલ. શ્રી નવકારની કૃપાથી દેવ-ગુરુકૃપાએ આજથી વર્ષીતપનો મંગલ પ્રારંભ કર્યો છે. એટલે વિશુદ્ધ અંતરાત્માની સાક્ષીએ આ લખાણ થઈ રહ્યું છે એમ હું માનું છું.
જિન શાસનમાં આત્માને કર્મમુકત કરવાના સબળ પુરુષાર્થને વિશિષ્ટ કર્તવ્ય ગણાવ્યું છે. તેના લક્ષ્ય વગર કરાતી સઘળી શુભ ક્રિયાઓ-ધર્માનુષ્ઠાનો પણ લગભગ નિષ્ફળ બનવાનું શાસ્ત્રકારો ઠેર ઠેર કહે છે.
આત્મશુદ્ધિ માટે તત્ત્વજ્ઞાન અને તેની રુચિ ખૂબ પાયાની ચીજ છે. તે વિના અંતરમાં આત્મશુદ્ધિના લક્ષ્યની સ્થિરતા થતી નથી, પણ આત્મશુદ્ધિ શબ્દમાં રહેલ આત્માની ઓળખાણ થવી જરૂરી છે. ચૈતન્યમય આત્મા વર્તમાનકાળે કર્મજન્ય ઉપાધિથી કેવો થવા પામ્યો છે? ઔદયિક ભાવોની જંજાળમાં આત્મા કેવો અટવાયો છે ? તેનું સ્પષ્ટ ભાન આપણા હૈયામાં થાય તો આત્મશુદ્ધિનું લક્ષ્ય યથાર્થ રીતે સફળ થાય.
આટલી વાત ભૂમિકારૂપે જણાવી હવે આત્માના સ્વરૂપ વિષે આવતા પત્રમાં વાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org