________________
૨૩૪
D
૧૫
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
પાલનપુર
૯-૧૧-૮૩
વિ આરાધનાના પંથે વિક્ષેપોની સંભાવના હોય જ ! કેમ કે આરાધના આપણને કર્મના સામ્રાજ્યમાંથી ધર્મરાજના સામ્રાજ્ય તરફ દોરી જાય છે. તો ધર્મ અને કર્મ બંનેને પરસ્પર પ્રતિસ્પર્ધીભાવ વધુ હોવાથી એકબીજાને મહાત કરવા પ્રયત્ન કરે જ. તેથી આરાધક આત્માએ વિક્ષેપોથી ગભરાવું નહીં પણ તે વિક્ષેપોથી આપણી આરાધનાનું લક્ષ્ય ચુકાઈ જવું ન જોઈએ.
રી
વિક્ષેપો એ ચારિત્રમોહનો ઉદય છે જ્યારે લક્ષ્યહીનતા થઈ જાય તો દર્શનમોહનો ઉદય થયો ગણાય. દર્શનમોહનો ઉદય આરાધનામાં સૌથી વધુ અનિષ્ટ છે. દર્શનમોહની ગેરહાજરીમાં ચારિત્રમોહ વિક્ષેપો ગમે તેટલા આવે તો તે અગ્નિમાં પડેલા સોનાને જેટલો તાપ મળે તેટલું તેનું મેલાપણું ઘટી સોનાની શુદ્ધિ વધુ ઝડપી થાય છે. તેમ આપણી આત્માની પ્રોવલ સ્થિતિને આવરનારા ચારિત્રમોહના સંસ્કારો = વિક્ષેપોના ધસારાથી દર્શન મોહની ઉદીયમાન સ્થિતિ ન થાય એટલે આપણી શ્રદ્ધા આરાધનાનું લક્ષ્ય આપણે ન ચૂકીએ તો ચારિત્રમોહના ઉદયરૂપ આવેલ વિક્ષેપોથી આપણા પૂર્વમાં બાંધેલા ચારિત્રમોહ કર્મની અસરો વેદાઈને - ભોગવાઈને ક્ષીણ થાય છે. પરિણામે આત્મા નિર્મળ સ્થિતિ પામે છે.
આ દૃષ્ટિકોણથી વિક્ષેપો આપણી અંતરંગ દશાની નિર્મળતાના સાધક બની જાય છે પણ કયારે ? અંતરમાં પરમેષ્ઠીઓના આદર્શને સ્થિર રાખી કર્મનિર્જરાના લક્ષ્યને સ્પષ્ટ રીતે ટકાવી રાખીએ તો !
Jain Education International
જો દર્શનમોહનીયના ઝપાટે આપણે ચઢી જઈએ તો વિક્ષેપોને સામી છાતીએ અડગપણે ઝીલી લેવાની તૈયારી જ્ઞાની મહાપુરુષોની નિશ્રા, તેવા ઉચિત વાતાવરણ, તે તે ગુણસ્થાનકની પવિત્ર કર્તવ્યનીતિનું સમ્યપાલન અને સતત આત્મનિરીક્ષણ આદિ સાધનોથી ન કરી શકીએ તો તે વિક્ષેપોનો ધસારો દર્શનમોહના ક્ષયોપશમની ભૂમિકાને પણ હચમચાવી મૂકે. સરવાળે આપણે વિક્ષેપોના નામે શ્રદ્ધા – પરિણતિમાં પણ ઢીલા પડી જઈએ, તો તે આપણી જીવનસાધનાનું મોટામાં મોટું વિઘ્ન
ગણાય.
ગમે તે થાય પણ આપણે શ્રદ્ધાહીન આદર્શભ્રષ્ટ અને પરમેષ્ઠીઓની આજ્ઞાની પ્રધાનતાના ધ્યેયથી હઠી ન જઈએ તે ખાસ આરાધનાના પંથે જીવનમાં જાળવવા જેવું છે.
વિચારોમાં લક્ષ્યહીનતારૂપ પતન આચારની શિથિલતા કરતાં વધુ જોખમી છે. શ્રી નવકારની સર્વપાપ = મોહાદિસંસ્કારોને મૂળમાંથી ઉખેડી નાંખી હઠાવવાની શકિત પરનો સુદૃઢ વિશ્વાસ આપણી
For Private & Personal Use Only
www.jainelibrary.org