________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
હૉસ્પિટલમાં ઈન્ડોર પેશંટ તરીકે દાખલ થયા પછી બધી જવાબદારી હોમ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટરની હોય છે, દેખરેખ – જવાબદારી.
૨૦૨
તેમ અહીં મારે થોડીક તમને આધ્યાત્મિક ટ્રીટમેંટ આપવાની. તેમાં દરકાર ઓછી રાખી તે બદલ હકીકતમાં હું શરમિંદો છું. તે અંગે સંવત્સરી પ્રતિક્રમણમાં આ મારી જવાબદારી અદા ન કરી શકવા બદલ થોડી વેદના થઈ પણ સમયાભાવે વ્યકત ન કરી શકયો.
તેથી પત્રથી ખાસ કરીને મારા તમારા આધ્યાત્મિક સંબંધો સંકળાયા છે, છતાં હું મારી જવાબદારી ન અદા કરી શકવા બદલ હાર્દિક નિખાલસતાથી અંતરની સરળતા સાથે ક્ષમા માંગું છું. તમે જરૂરથી મારી બિનજવાબદારીને ક્ષમ્ય ગણશો, હવે પછી તમોને યોગ્ય પ્રેરણા આપવાની તત્પરતા દાખવવા તૈયાર રહેવા જરૂર ધ્યાનમાં લઈશ.
બીજું થ્રી નવકાર મહામંત્રથી જીવન શુદ્ધિ વિનય-વિવેકના માધ્યમથી થાય, બાહ્ય જીવનમાં વિનય ગુણ બરાબર વિકાસ પામ્યો છે. સાથે વિવેકમાં ઔપચારિકતા કરતાં વાસ્તવિક ભૂમિકાના વિવેકની જરા કસર છે, કારણ કે શરણાગતિ – સમર્પણભાવ શ્રી નવકાર કે પંચ પરમેષ્ઠીઓ પ્રતિ કેળવવામાં જરા ખામી રહે છે તેથી વિવેક વાસ્તવિક ભૂમિકાનો પ્રગટ થાય છે પણ લાંબો ટકતો નથી. વ્યવહાર સંસાર ઘર – સર્વિસ આદિની પ્રવૃત્તિઓમાં પ્રધાનતા, મોહના સંસ્કારો વધવા ન પામે તે તરફ લક્ષ્યની જાગૃતિ હૈયાની તત્પરતા સાથે કેળવાતો વિવેક કયારેક સંસાર પક્ષે ગૌણ થવા પામે છે.
-
-
આવું ન થાય તે ઇષ્ટ છે. આ માટે -
નિયત સમય, નિયત સ્થાન, નિયત સંખ્યાનો જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા અને શ્રી નવકારના સાહિત્યનું વાંચન આ ત્રિપુટીની ખાસ જરૂર છે.
તમારામાં આ ત્રણે બાબત ઓછેવત્તે અંશે છે ખરી. પણ ફેસેલીટીને કયારેક વધુ મહત્વ અપાય છે તેથી જાપની શકિત અંતરમાં ક્રિએટ થવાના બદલે તેના વાયબ્રેશનો વિખરાઈ જવા પામે છે. માટે આ અંગે ખૂબ જ સાવચેતી કેળવવી જરૂરી છે.
Jain Education International
આ વખતનો પત્ર આવો કેમ લખાયો? તેનું મને પણ આશ્ચર્ય છે, છતાં તમો આરાધનાના પંથે જરા ઊંડું ચિંતન કરશો અને વ્યવસ્થિતતા કેળવશો.
For Private & Personal Use Only
www.jainelibrary.org