________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૯૯૩
૪) પ્રતિક્રમણ = ઓછામાં ઓછું બે આઠમ, બે ચૌદશ, સુપ ત્રણે જણા ભેગા મળી સામૂહિક પ્રતિક્રમણ કરવું.
વાંચી જાઓ ને પ્રતિક્રમણ થાય તેવી ચોપડીમાંથી વારાફરતી ત્રણમાંથી ૧ શ્રુત સામાયિકમાં કરેમિભંતે ઉચ્ચર્યા વિના ચોપડીમાં જોઈને બોલે, બે જણા કરેમિ ભંતે સામાયિક લઈને બેસે. જે આવડે તે બધાં સૂત્રો સામાયિકવાળા બોલે - ન આવડે તે વ્યુત સામાયિકવાળો ચોપડીમાં જઈને બોલે.
આવું બે-ચાર અઠવાડિયા કરવું, ખરી રીતે લાઈટમાં બોલે તેનાં સૂત્રો પ્રતિક્રમણમાં ન ખપે, પણ મહાવરો આપવા છૂટ આપી છે. અગર શરૂઆતમાં ત્રણે જણા કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના શ્રુત સામાયિકમાં ચોપડીથી પ્રતિક્રમણ કરે, ધીમે ધીમે વારાફરતી જુઓ. ત્રણેને મોઢે થઈ જાય એટલે લાઈટ વિના કરેમિ ભંતે ઉચ્ચરીને પ્રતિક્રમણ કરવું. અગર ત્રણે જણાને રવિવારનો કે રજાનો મેળ પડે તો ઉપાશ્રયે જઈને કરવું.
૫) કાઉસ્સગ્ગ = દેરાસરમાં પૂજા પછી અરિહંત પદ આરાધના નિમિતે ૧૨ લોગસ્સ. (સંપૂર્ણ)નો કાઉસગ્ગ જરૂર કરવો. સવારે શ્રી નવકાર મહામંત્ર આરાધનાર્થે કાઉસ્સગ્ન કરું, ઈચ્છે કહી ૯ લોગસ્સ (સંપૂર્ણ)નો કાઉસ્સગ્ન કરવો.
૬) પચ્ચક્ખાણ = રોજ સવારે નવકારશી, સાંજે તિવિહાર જરૂર કરવા, નોકરીએથી છૂટી વહેલામાં વહેલું ખાઈ પછી હાથ જોડી લેવા, પાણી સિવાય કંઈ નહીં, બહારનું બજારનું રાત્રે તો નહીં જ, રજાના દિવસે બેસણું કરવું. મહિનાની ૪ રજામાં બે બેસણાં જરૂર. ચૌદશે બેસણું જરૂર કરવું.
આ રીતે છ આવશ્યકથી અંતરની અશુદ્ધિનો ઘટાડો ખૂબ જ ઝડપી થશે. અત્યારે જે ભાઈબંધોની શરમ, રાત્રિભોજનની ઉપેક્ષા, સંસારની માયાનું દબાણ થાય છે તે સઘળું ઘટી જશે. જરૂર જરૂર આ છ આવશ્યકોને અમલમાં મૂકવા પ્રયત્નશીલ થશો.
૧ વાટવામાં ચોખા, બદામ, પતાસું, છૂટા પૈસા રાખવા. તે લઈને જ દેરાસર જવું. બહારગામ પણ તે વાટવો સાથે જ રાખવો.
૧ પેટીમાં કળશ, વાટકી, કેશર, દીવા માટે નાની દીવી, ઘી, ધૂપની સળીઓનું બોકસ (નાનું) આટલું જરૂર રાખવું. આ પૂજાની પેટી વિના દેરાસર પૂજા માટે ન જવું. બહારગામ પણ લાવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org