________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૯૧
આ પ્રાર્થના સફળ થાય તે માટે રોજ ૧ મંગળજ્યોત સવારે દેરાસરમાં પૂજા પછી એકસ્ટ્રા ગણવાની શરૂઆત કરો. છ મહિનામાં દિવ્ય અંતરંગ શકિતઓની સરવાણી, તમારા જીવનમાં સંજોગો અનુકૂળ થશે, ઉપેક્ષા અને ભાઈબંધોના દબાણના બદલે કર્તવ્યનિષ્ઠાની જાગૃતિ થશે.
સરવાળે તમે જ તમારા જીવનના ગુરુ બની શકશો, આ રીતે ગુરુતત્ત્વને વાસનાઓના કચરાને હઠાવી વિશુદ્ધ હૈયામાં વિવેકના સિંહાસને પધરાવી તમારા જીવનને મંગલમય બનાવો એ અંતરની અભિલાષા.
૯૬
વિ આરાધનાના તારમાં માયાના ઝપાટાથી સંપર્કસૂત્ર તૂટી જવાથી આપણે આરાધનાના પંથથી જરા આઘા અને છૂટા પડી ગયા હતા.
આપણા પુણ્યયોગે સેરીસા તીર્થમાં શ્રી ડોલણ પાર્શ્વનાથ પ્રભુની છત્રછાયામાં અંતરના પશ્ચાત્તાપભર્યા સૂરે માંત્રિક પૂજનના પ્રતાપે તેમજ રાત્રે તમારા સહુના અંતરના ભકિતભર્યા જાપથી મારા પગે વેદનામાં શાંતિ થઈ અને તમારી બંધ લાઈટો ઓછી વધતી શરૂ થઈ, ત્યારથી પત્ર લખવાની પ્રેરણા થયેલ, અનુકૂળ સંયોગ ન મળવાના કારણે છેવટે ૪૮ દિવસે આ પત્રમાળા શરૂ થાય છે.
ભૂલ હકીકતમાં કોઈની પણ નહીં, પણ મારી - તમારી – સહુની આરાધનાની કચાશ – અહંભાવની માત્રાનો વધારો આમાં કારણ બન્યો. ખરેખર આરાધના – પંથે સમર્પણભાવની ખામી અને તેમાંથી ઊપજતા અહંભાવનો વધારો મોટામાં મોટો અવરોધ ઊભો કરે છે. તમો સંસારની મોહમાયામાં રહીને આજના ઝેરી વાતાવરણ વચ્ચે પણ શ્રી નવકારની આરાધનાને સમર્પિત રહી જે રીતે આરાધના કરી રહ્યા છો તે અનુમોદનીય છે.
તમો સહુને ખરેખર નિખાલસતા - સમર્પણભાવ સાથે જીવનશુદ્ધિનો રાહ જે શ્રી નવકારની કૃપાથી મળ્યો છે, સમજાયો છે તેને અમલમાં મૂકવા સાથે સંસારની માયાને વધારનારાં ખાણાં-પીણાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org