________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૧૮૯
આના પાયામાં સાત્વિક આહાર-વિહાર, યોગ્ય વાતાવરણ અને લકઝરી ટાઈપની ચર્યાનો ઘટાડો, શારીરિક સ્વસ્થતા, માનસિક પ્રસન્નતા આદિની પણ ખાસ જરૂર ખરી. આ બધાની કેળવણી માટે બાહ્ય સાધનોની યથાયોગ્ય પસંદગી સાથે જ્ઞાનીની નિશ્રાએ જીવનચર્યાનું ઘડતર તે અંગેના ભવ્ય પુરુષાર્થની પણ ખાસ જરૂર રહે.
આ બધા માટે તમારી અંતરની લાગણીઓનો ભંડાર ઘણો છે પણ તેને સક્રિય સ્વરૂપ આપવા માટે પુરુષાર્થ થોડો ખૂટે છે તેની પૂર્તિ તમે યથાયોગ્ય કરો તો હથેળીમાં જીવનશુદ્ધિનો રાહ છે. આ માટે યોગ્ય તમે જરૂર વિચારી આચરણમાં મૂકશો એ મંગળકામના.
ગે)
૯પ
૧૧-૩-૮૪
સકળ દ્વાદશાંગોપનિષદ્ભુત
શ્રી નમસ્કાર મહામંત્રાય નમ: રાજરાજેશ્વર અપ્રતિમ - અચિંત્ય પ્રભાવશાળી
વિરાટ શક્તિ સંપન્ન - મંત્રાધિરાજ
શ્રી નમસ્કાર મહામંત્રનો જય થાઓ ! અત્યંત આનંદનો વિષય એ છે કે, તમારી આરાધનાની તમન્ના - સરળતા – નિખાલસતા - શરણાગતિભાવની પ્રબળ તૈયારીના બળે શ્રી નમસ્કાર મહામંત્ર પત્ર માળાની આજે આઠમી ફાઈલ શરૂ થઈ છે.
પત્ર સંખ્યા ૯૫ની છે. મારા પોતાના જીવનમાં શ્રી નવકાર મહામંત્રની પરમ મંગળ કૃપાથી જે ગાઢ પરિવર્તન આવ્યું છે તેમાં ભાગ ભજવનારા સરળતા, આરાધક ભાવ, શરણાગતિ, પ્રબળ શ્રદ્ધા, આદિ તત્ત્વો તમે થોડારૂપમાં તરતમતાએ બીજરૂપે પણ મેળવી શકયા છો – એ ખૂબ આનંદની વાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org