________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
તેટલી આરાધના નબળી, નેગેટિવ એપ્રોચ એટલે આરાધનામાં જોડાયા પછી આરાધનાને વિકૃત કરનાર રહેણી-કરણી ખાનપાન, વેપભૂપા, વાતાવરણ આદિની પરહેજી પાળવી જોઈએ.
જે એમાં બેદરકારી અગર ઉપેક્ષા રહી તો આરાધનાનું સત્વ આપણને મળે નહીં. આ ઉપરાંત નેગેટિવ એપ્રોચ પાવરફૂલ બનાવવા પોઝિટિવ સાઈડ પોતે વ્યવસ્થિત આચરવાની જરૂર છે.
સૂઝ નીતિથી પોઝિટિવ બાબતો આરાધનામાં ઓજસ લાવે છે. જેમ કે
આરાધનામાં સત્ત્વ વિકસાવનાર પોઝિટિવ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સદ્વાંચન, શુભ વાતાવરણ અને નિયમિત જાપ આદિ બાબતોમાં વિધિ, સમય-મર્યાદાનો આગ્રહ જે ઢીલો રાખવામાં આવે તો નેગેટિવ એપ્રોચની કેળવણી ન થાય અને આરાધનામાં ઉત્સાહ ન આવે.
તેથી તમારે ખાસ કરીને પોઝિટિવ બાબતોની ચોકકસાઈ અને નેગેટિવ એપ્રોચની કેળવણી વ્યવસ્થિતપણે કરવી જરૂરી છે.
આરાધક આત્માએ સંસાર અને એની પ્રવૃત્તિઓમાં જવાબદારીનું સ્થાન પ્રામાણિક પુરુષાર્થના ધોરણે હોય, પણ તેમાં રાચ્યા-માગ્યા કે તન્મય થવાનું ન શોભે.
આરાધનામાં જરૂરી વાતાવરણ શુદ્ધિ – આહારશુદ્ધિ માટે ઉપેક્ષા – બેદરકારી જરા પણ રાખવી ઉચિત નથી. અંતરના વિવેકના પ્રકાશમાં સમજાયેલી ચીજ સંસારી વાતાવરણ કે ભાઈબંધોના સહવાસ અગર પરિસ્થિતિના નામે ગૌણ બને એ આરાધકને શોભે નહીં.
કક
૮૨
સોનગઢ
૧૬-૩-૮૪ વિ જણાવવાનું કે, સંસારનો અર્થ માયાજાળ, ડુંગળીના છોતરા કાઢતા જાઓ એક પછી એક પડ નીકળે અંદર સાર કંઈ નહીં - એમ સંસારની પ્રવૃત્તિઓમાં એક પછી એક મહેનતપૂર્વક દેખાતી ગૂંચ ઉકેલવા મથામણ કરો, પાંચ ઊકલી લાગે પણ તેવી કે બીજી તેનાથી સવાઈ બે-ચાર તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org