________________
૧૫૪
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
થાય. જેને અંગ્રેજીમાં સાઈડ ઈફેકશન કહે છે તેવું ઍલૉપથીમાં ૦ ટકા થવાનો સંભવ છે. દર્દીના પુણે કદાચ ૧૦ ટકામાં ઍલૉપથી ટ્રીટમેંટથી દર્દ સમાય, અગર નવા દઈ ઊભા ન થાય.
મૂળ વાત એ કે દેશી આયુર્વેદની વનસ્પતિજન્ય દવાઓનો મૂળ પાયો જ શરીરના વાત-પિત્ત-કફન્ના ઊપજેલા વિકારોને પારખી યોગ્ય નિદાન કરી જે વિકારો થયા હોય તેને શમાવનારી વનસ્પતિજન્ય દવાઓ ઉકાળાઓ, ચૂર્ણો, ગોળીઓ અને તેની યોગ્ય ચરી પાળવારૂપ ઉચિત આહાર, અને સ્વસ્થ દિનચર્યાથી રોગોને વધવાનો અવસર જ ન મળે. હોય તે ધીમે-ધીમે શમે.
પણ યંત્રવાદના ધમાલિયા જીવનમાં તુરતાતુરત ઝડપથી મટાડવાની ધૂન અને ડૉકટરોના કહેવા પ્રમાણે તમારે મન ફાવે તેમ ખાવા-પીવો, હરો-ફરો, એટલે ઍલૉપથી ટ્રીટમેંટમાં સ્વચ્છંદતાનું પોષણ ભારોભાર – પણ સરવાળે ઍલૉપથીમાં રોગ મટાડવાની વાત પાયામાં જ નથી, માત્ર કન્વર્ટેશનની વાત હોઈ રોગો એક યા બીજા રૂપે શરીરમાં કાયમ રહે, પણ જડમૂળથી રોગ જાય જ નહીં એટલું જ નહીં પણ નવા રોગો ઊભા પણ થાય તેવી વિષપ્રક્રિયા ઍલૉપથી ટ્રીટમેંટમાં છે. આ તો બધી આડ વાત થઈ!
મૂળ વાત એ કે વાત-પિત્ત-કફના વિકારોને શમાવવા માટે કરાતા પ્રયત્નો શરીરને રોગમુકત કરે તે દેશી આયુર્વેદ પ્રક્રિયાથી સુસાધ્ય છે. પણ શ્રી નવકાર મહામંત્રમાં એ વિશેષતા છે કે દેશી દવાના ઉપચારમાં કુશળ નિદાન-નાડીના જાણકાર વૈદ્ય, તેવા ઔષધોની પ્રાપ્તિ પછી તેને ખાંડી ઉકાળી લેવાની માથાકૂટ, ચરી પાળવી પડે આદિ મુશ્કેલીઓ હોઈ આજે આયુર્વેદનો વિકાસ અટક્યો છે. અને સહેલો રસ્તો ગમે તે ખાઓ, બજારમાંથી તૈયાર ગોળી લઈ આવો'ની ધૂનમાં ઍલૉપથિક પગપેસારો કરી તેના દ્વારા ખરેખર તો માનવ શરીરને વધુ રોગગ્રસ્ત બનાવવાની કુચેષ્ટા જ થવા પામી છે.
એટલે શ્રી નવકાર તો માત્ર શરણાગતિ - શ્રદ્ધા – ભકિતના નજીવા મૂલ્યમાં આપણા અંતરના બધી જાતના રોગોને વ્યવસ્થિત જાપ-ભકિત-આરાધના આદિ અનુષ્ઠાનોથી મૂળથી ઉખેડી નાંખવાની તાકાત ધરાવે છે.
આપણા શરીરમાં જે રોગો છે તે બધા દ્રવ્ય રોગો વાયુ, પિત્ત, કફના બગાડાથી થાય છે પણ તે દ્રવ્યરોગોની પાછળ ભાવરોગ પ્રધાન કારણભૂત છે. તે ઉત્પન્ન થાય છે ત્રણથી – રાગથી, દ્વેષથી અને મોહથી. જેમ દ્રવ્યરોગો વાયુ, પિત્ત, કફના વિકારોથી થાય છે તેમ આંતરિક ભાવરોગો રાગ-દ્વેષ-મોહથી ઊપજે છે.
જીવનમાં દ્રવ્યરોગો અશાતા વેદનીય નામના કર્મથી ઊપજે છે. તે અશાતા વેદનીય કર્મ બીજાને દુઃખ દેવાથી, સંતાપ, પરિતાપ, કલેશ દેવાથી થાય છે.
બીજાને દુ:ખ, સંતાપ, પરિતાપ, કલેશ, દેવાનું મન આપણને કયારે થાય કે જ્યારે આપણામાં તીવ્ર સ્વાર્થવૃત્તિ, પૌદ્ગલિકભાવ, દુન્યવી સુખની તીવ્ર ચાહના ઊપજે ત્યારે. આ બધું મોહના ઉદયથી થાય છે. મોહ આવે એટલે તેના બે દીકરા રાગ-દ્વેષ તો આવે જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org